સોના-ચાંદીથી શણગારેલું છે અંબાણીના ઘરનું મંદિર, મૃર્તિ પર છે હીરાના ઘરેણાં

દેશનો સૌથી ધનિક પરિવાર અંબાણીની ભવ્ય લાઇફસ્ટાઇલથી તો દરેક લોકો પરિચિત છે, પણ આજે અમે તમને અંબાણીના ઘર એન્ટેલિયાના મંદિરના કેટલાક ફોટો બતાવીએ. જેને જોઈ તમારી આંખો પહોળી થઈ જશે.

એન્ટેલિયા દુનિયાના સૌથી મોંઘા ઘરમાંથી એકમાં સામેલ છે. અંબાણી પરિવાર ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા રાખે છે. ઘણીવાર આખો પરિવાર સારા કામ પહેલાં પૂજા યજ્ઞ કરાવે છે.

એવામાં મુકેશ અને નીતા અંબાણીએ પોતાના ઘર બનાવતી વખતે તે ઘરના મંદિરના બજેટનો એક મોટો ભાગ ખર્ચ કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, એન્ટેલિયામાં જે મંદિર છે તેમાં મૂર્તિથી દરવાજા સુધી દરેક વસ્તુ પર માત્ર સોનુ-ચાંદી જ છે. આ સાથે જ ભગવાનની મૂર્તિમાં પણ હીરાજડિત ઘરેણાં છે.

નીતા અંબાણીને હીરાના ઘરેણાંનો ખૂબ જ શોખ છે. એવામાં તેમણએ પોતાના મંદિરને ખાસ રીતે બનાવવા માટે કિંમતી વસ્તુથી શણગાર્યું છે.

આ સાથે જ ઘરમાં એક એવી જગ્યા પણ છે જ્યાં તમામ આસ્થા સાથે જોડાયેલી મોંઘી મૂર્તિ રાખવામાં આવી છે. ઘણીવાર નીતા અંબાણી અહીં ટાઇમસ્પેન્ટ કરતી જોવા મળી છે. જેનાથી તેમને શાંતિ મળે છે.

ઉલ્લેખનીય છે કે, IPLની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અંબાણીની ટીમ છે જેણે અત્યારસુદી સૌથી વધુ સિઝનની ટ્રોફી જીતી છે. જ્યારે પમ ટીમ ટ્રોફી જીતે છે નીતા તેને ઘરના મંદિરમાં ભગવાનના ચરણમાં જરૂર રાખે છે.

કહેવામાં આવે છે કે, 4 લાખ સ્ક્વેર ફૂટમાં બનેલાં એન્ટેલિયામાં 600 લોકોનો સ્ટાફ 24 કલાક કામ કરે છે. એવામાં ઘરના મંદિર માટે ખાસ જગ્યા રાખવામાં આવી છે.

એન્ટેલિયાને શિકાગોમાં રહેતાં આર્કિટેક્ટ પર્કિન્સે ડિઝાઇન કર્યું છે અને તેને ઓસ્ટ્રેલિયાની કન્સ્ટ્રક્શન કંપની લેગ્ટોન્ટ હોલ્ડિંગે બનાવ્યું છે. કહેવામાં આવે છે કે, વર્ષ 2010માં બનીને તૈયાર થયેલાં એન્ટેલિયા 8 રેક્ટર સ્કેલનો ભૂકંપ પણ સહન કરી શકે છે.