બહેનની ડોલી ઉઠે તે પહેલાં જ ભાઈની અર્થી ઉઠી, માફિયાએ જવાનને પતાવી દીધો પછી…

યુપીના કાસગંજમાં બિકરૂ કાંડ જેવી ઘટના સામે આવી છે. સરકારી નોટિસ લઈને આરોપી સગા ભાઈના ઘરે પહોંચેલા સિપાહીની હત્યા કરી નાખી હતી. જ્યારે પોલીસ અધિકારીને ભાલો મારી ઈજા પહોંચાડી હતી. એવામાં અમે શહીદ થયેલ સિપાહી દેવેન્દ્ર જસાવત વિશે બતાવી રહ્યાં છીએ જેના ઘરે ચાર મહિના પહેલા જ પુત્રીનો જન્મ થતાં પરિવારમાં ખુશી હતી. પરંતુ બહેનના લગ્નના ત્રણ મહિના પહેલાં જ ઘરમાં માતમ છવાઈ ગયો છે. દેવેન્દ્ર પરિવારમાં એકનો એક ચિરાગ હતો જે શરાબ માફિયાઓએ બુઝાવી નાખ્યો હતો.

સીએમ યોગી આદિત્યનાથે સિપાહી દેવેન્દ્ર જસાવતના પરિવારની 50 લાખની આર્થિક મદદ અને નોકરી આપવાની જાહેરાત કરી છે. દેવેન્દ્ર આગરાના ડૌકી પોલીસ સ્ટેશન વિસ્તારના નગલા બિંદુ ગામના રહેવાસી ખેડૂત મહાવીર સિંહનો એકનો એક પુત્ર હતો જે 2015માં પોલીસમાં નોકરી લાગ્યો હતો. જ્યારે એક પુત્રી છે જેના લગ્ન મે મહિનામાં છે.

દેવેન્દ્રના લગ્ન વર્ષ 2016માં ચંચલ સાથે થયા હતાં જે પતિના મોતના સમાચાર સાંભળીને રડી પડી હતી. બે પુત્રીઓ છે. મોટી પુત્રી વૈષ્ણવી ત્રણ વર્ષની છે અને નાની પુત્રી ચાર મહિનાની છે.

પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, શમસાબાદ વિસ્તારનો એક યુવક કાસગંજમાં સિપાહી છે જે દેવેન્દ્રનો મિત્ર છે. તેણે આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. ત્યાર બાદ સગા-સંબંધીઓ અને ગામના લોકો તેના પિતાને લઈને કાસગંજ જવા રવાના થયા હતાં.

પરિવારે જિલ્લા અધિકારી સાથે પણ મુલાકાત કરી હતી. તે દરમિયાન દેવેન્દ્રના પિતાએ કહ્યું હતું કે, મારો એક જ પુત્ર હતો. 2015માં પોલીસમાં નોકરી મેળવી હતી અને 2017માં તેના લગ્ન થયા હતાં. પુત્ર શહીદ થયો છે તેનો બદલો લેવો જોઈએ.

ગામના લોકોએ જણાવ્યું હતું કે, દેવેન્દ્ર જ્યારે પણ ગામમાં આવતો હતો ત્યારે તેનાથી મોટા લોકોને પગે લાગતો હતો. તેને કોઈ વાતનો ઘંમડ પણ નહતો કે તે પોલીસ વાળો છે. તે ઘણીવાર લોકોને કહેતો હતો કે મેં રૌફ જમાવવા માટે વર્દી નથી પહેરી.