પિતાના પાડોશી મહિલા સાથે અવૈધ સંબંધ, જોઈ ગયેલા દીકરાને આપ્યું ધ્રુજાવી દેતું મોત

એક ખૂબ જ શોકિંગ અને કંપારી છૂટાવી દેતો બનાવ સામે આવ્યો છે. એક પિતાએ પોતાએ પોતાના જ 15 વર્ષના એકના એક લાડલા દીકરાની ઘાતકી હત્યા કરી નાખી હતી. દીકરાનો વાંક ફક્ત એટલો જ હતો કે તે તેના પિતાને એક મહિલા સાથે આપત્તિજનક અવસ્થામાં જોઈ ગયો હતો. એટલું જ નહીં પિતાએ પહેલા દાતરડાંથી દીકરાના હાથ કાપીને બોરવેલમાં નાખી દીધા હતા, પછી ગળું દબાવીને દીકરાને પતાવીને લાશને ઝાડીમાં ફેંકી દીધી હતી.

શું હતો બનાવ? મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના બરોઠા વિસ્તારમાં બનેલા એક બનાવથી સૌ કોઈ હેરાન રહી ગયું છે. એક પિતાએ પોતાના દીકરાના હાછ કાપી નાખ્યા હતા અને પછી ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આરોપી પિતા અને મહિલાની ધરપકડ કરી લીધી છે.

હાથ કપાયેલી લાશ મળી
આ અંગે SP શિવદયાલ સિંહે જણાવ્યું હતું કે બાંગરદા ગામમાં એક લાશ પડી હોવાની માહિતી મળી હતી. જેના આધઆરે પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચીને ઝાડી-ઝાંખરામાંથી લાશ મેળવી હતી. લાશના બંને હાથ કોણીથી કપાયેલા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ કિશોરની હત્યા એક દિવસ પહેલા જ કરવામાં આવી હતી. લાશ પર કપડાં પણ નહોતા.

પોલીસની કડક પૂછપરછમાં પિતા ભાંગી પડ્યો
ગામના લોકોએ લાશ 15 વર્ષીય હરિઓમ ચૌહાણની હોવાની ઓળખ કરી હતી. પરિવારજનોનું કહેવું હતું કે તેમની કોઈ સાથે દુશ્મની નથી. પોલીસ તમામ લોકોની પૂછપરછ કરી. જેના આધારે પોલીસે મૃતકના પિતા મોહનલાલ ચૌહાણ પર શંકા ગઈ હતી. જેની પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં તેમણે પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો.

કેમ દીકરાની હત્યા કરી?
પોલીસના કહેવા મુજબ એક રાત્રે હરિઓમ ચૌહાણે એક મહિલા સાથે તેના પિતા મોહનલાલ ચૌહાણને આપત્તિજનક અવસ્થામાં પકડી પાડ્યા હતા. આ ઘટના બાદ મહિલા સતત મોહનલાલ ચૌહાણ પર દબાણ ઉભું કરી રહી હતી કે તે તેના દીકરા હરિઓમને રસ્તામાંથી હટાવે નહીંતર હું આત્મહત્યા કરી લઈશ. ત્યાર બાદ મોહનલાલ ચૌહાણે જેની સાથે અવૈધ સંબંધ હતો તે મહિલા સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું અને બે દિવસ પછી એક રાત્રે દીકરા હરિઓમને પોતાના ખેતર પર બોલાવ્યો હતો.

વિરોધ ન કરે એટલે પહેલા દાતરડાથી હાથ કાપ્યા
આરોપી પિતા મોહનલાલ ચૌહાણે પહેલા પોતાના દીકરાના હાથ કાપી નાખ્યા હતા, જેથી તે વિરોધ ન કરી શકે. ત્યાર પછી દીકરાના ગળામાં દોરડાનો ફંદો નાખી ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યાર પછી આરોપી પોતાના ઘરે આવ્યો હતો, એ વખતે ઘરના બધા સભ્યો ઊંઘી રહ્યા હતા. ઘરે આવીને મોહનલાલે કહ્યું કે હું ખેતરથી સિંચાઈ કરીને આવ્યું છું, પણ હરિઓમ કેમ ક્યાંય દેખાતો નથી. બાદમાં પરિવારદનોએ હરિઓમની શોધખોળ આદરી હતી.

બધાને ગુમરાહ કર્યા પણ…
એટલુ જ નહીં શાતિર દિમાગના મોહનલાલે બધાને ગુમરાહ કરવા માટે ઈન્દોર સુધી દીકરાને શોધવા ગયો હતો. નોંધનીય છે કે હરિઓણ એક વાર પહેલા પણ કોઈને કહ્યા વગર પોતાના મામાને ત્યાં ચાલ્યો ગયો હતો.

પોલીસે બોરવેલમાં કેમેરા નાખી તપાસ કરી
SP શિવદયાલ સિંહે કહ્યું પોલીસે જ્યારે આરોપીની સખત પૂછપરછ કરી તો તેણે ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ જણાવ્યું હતું કે દીકરાના કપાયેલા બંને હાથ એક કપડામાં બાંધીને પાસેના બોરવેલમાં નાખી દીધા હતા. તેણે દાતરડાથી દીકરાના હાથ કાપ્યા હતા તે હથિયાર પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે.

પોલીસે એમ પણ જણાવ્યું હતું કે બોરવેલમાં કેમેરા નાંખીને કપાયેલા હાથની તપાસ કરી લીધી છે, ટૂંક સમયમાં તેને પણ બહાર કાઢી લેવામાં આવશે. આરોપી પિતા અને હત્યા માટે દબાણ ઉભું કરનારી મહિલાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

આઠવામાં ધોરણમાં ભણતો હતો દીકરો
દીકરો હરિઓમ આઠમાં ધોરણનો સ્ટુડન્ટ હતો. તે ગામની સરકારી સ્કૂલમાં ભણતો હતો. તે પરિવારનો એક માત્ર દીકરો હતો. તેને એક બહેન પણ છે. આરોપી પિતા પાસે પોતાની 2 વિઘા જમીન છે. તે મજૂરી પણ કરતો હતો.