વધુ એક બોલિવૂડ એક્ટરે જીવન ટૂંકાવ્યું, ‘એમએસ ધોની’માં કામ કરી ચૂકેલા એક્ટરની અલવિદા

વધુ એક બોલિવૂડ એક્ટરે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેસરી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર સંદિપ નાહરે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. મુંબઈ પોલીસે કેસ નોંધી અને તપાસ શરૂ કરી દીધી છે.

બોલિવૂડ એક્ટર સંદીપ નાહરે આત્મહત્યા પહેલા ફેસબૂક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. સંદીપ નાહરે એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે પર્સનલી અને પ્રોફેશનલી તે ખૂબ મુશ્કેલીમાં હતો.

સંદીપ નાહર 10 મિનિટના વીડિયોમાં કહે છે, ”મને તમે ઘણી ફિલ્મોમા જોયો હશે. ‘એમએસ ધોની’માં મેં છોટુ ભૈયાનો રોલ કર્યો હતો. આજે આ વીડિયો બનાવવો હેતુ એ છે કે મારા જીવનમાં અનેક પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. મારા મગજની હાલત સ્થિર નથી. તેનું કારણ મારી પત્ની કંચન શર્મા છે. દોઢ વર્ષથી હું ટ્રોમાં પસાર થઈ રહ્યો છું. મેં પત્નીને વારંવાર સમજાવી હતી. 365 દિવસ લડવાનું. દરરોજ સ્યુસાઈડની વાત કરવી. ”

”તે કહે છે કે તે મરી જશે તો મને ફસાવી દેશે. હું પરેશાન થઈ ચૂક્યો છું. મારા પરિવારને ગાળો આપે છે. માંને ગાળો આપે છે. હું તેની સામે પરિવારવાળાનો ફોન નથી ઉપાડી શકતો. મારું નામ કોઈની પણ સાથે જોડી દે છે. શંકા કરે છે. શંકાનો ઈલાજ નથી. દરેક વખતે ઝઘડ્યા રાખે છે. હાલમાં જ ઘરેથી ભાગી ગઈ હતી. મેં ફરી તેને શોધી હતી. તેની મા તેનો સાથ આપે છે. કેસ કરવાની ધમકી આપે છે. ”

સંદીપ નાહર આગળ કહે છે, ”કંચનનનો વર્ષ 2015-16માં એક એક્સ હતો. જેની સાથે તે છ વર્ષ રહી છે. તેણે પોતાના એક્સને એક ખોટા કેસમાં જેલ મોકલી દીધો હતો. મેં તેના પર તરસ ખાઈને લગ્ન કર્યા હતા. અમારી વચ્ચે ન જામ્યુ. મિત્રો જો હું કંઈક કરી લઈશ તો આ (કંચન) પરિવારવાળાને પરેશાન ન કરે. મારા પરિવારને આ ખૂબ નફરત કરે છે. કેસ ન કરે. બૂલેટ ડેડી આપવા માંગીશ. ચેઈન માંને આપવા માંગીશ અને કેશ કંચન લઈ જાય. તેને ભૂલોનો અહેસાસ નથી થતો. હું ઈચ્છું છું કે ભૂલોનો અહેસાસ કરે. જો તે આગળ લગ્ન કરે તો તેના મગજનો ઈલાજ જરૂર કરવજો.”