દયાભાભી ફરીથી સીરિયલમાં કરશે વાપસી? સોશિયલ મીડિયામાં મેસેજ થયો વાયરલ

ટીવીનો સૌથી ફૅમશ શૉ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં પહેલાં દયાબેનનો રોલ પ્લે કરતાં દિશા વકાણી ભલે શૉમાંથી ગાયબ હોય, પણ તે સતત ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના નામનું એક એકાઉન્ટ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમાં ફરી વાપસી કરશે. જોકે, તારક મહેતા કા ઉલટા ચશ્માના મેકર્સ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, દર્શકો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમાં દયાબેનને ખૂબ જ મિસ કરે છે.

ફેન્સ ઇચ્છે છે કે, દિશા વકાણી એટલે કે દયાબેન તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમાં પાછી આવી જાય. શું તમે જાણો છો સિરિયલમાં દિશા વકાણી દયાબેનનો રોલ પ્લે કરતાં હતાં ત્યારે તેમની ફી કેટલી હતી? તે એક એપિસોડના કેટલા રૂપિયા લેતાં હતાં? જોકે, સિરિયલમાં જેઠાલાલનો રોલ સૌથી પોપ્યુલર છે અને જ્યારે દયાબેન નથી ત્યારે તે કેન્દ્ર પર છે, પણ એક સમય એવો હતો જ્યારે દયાબેન જેઠાલાલ જેટલી જ ફી લેતી હતી.

ટીવીના બે ઓપોઝિટ કેરેક્ટર્સને સરખી ફી મળતી હોય તેવું ઘણું ઓછું જોવા મળે છે. કેમ કે, સિરિયલ ખૂબ જ ફૅમશ છે અને દયાબેન અને જેઠાલાલ હંમેશા પબ્લિકની ડિમાન્ડ રહ્યાં છે. જેને લીધે તે બંનેને સરખી ફી આપવામાં આવી હતી. એક રિપોર્ટ મુજબ, દયાબેન આ સિરિયલમાં કામ કરવા માટે મેન લીડ એક્ટર દિલીપ જોષી જેટલી જ રકમ લેતાં હતાં.

એક રિપોર્ટ મુજબ દિલીપ જોષી સિરિયલમાં એક એપિસોડ માટે 1.50 લાખ રૂપિયા ફી લેતાં હતાં. તો દયાબેન એટલે કે દિશા વકાણી પણ એક એપિસોડના 1.50 લાખ રૂપિયા ફી લેતી હતી. ત્યારે દિશા વકાણીની નેટવર્થ 37 કરોડ રૂપિયા હતી.

અત્યારે દિશા વકાણીના ફેન્સ તે જાણવા ઉત્સુક છે કે, તે સિરિયલમાં ક્યારે વાપસી કરશે. દિશા વકાણીના નામથી એક યૂ-ટ્યુબ ચૅનલ છે, જેમાં તેમની સાથે જોડાયેલા કોન્ટેન્ટ શેર કરે છે.