પરિવારના 4 સભ્યોએ કરી સામૂહિક આત્મહત્યા, કારણ જાણીને આંખો થઈ જશે ભીની

સીકરમાં રવિવારે એક માત્ર દીકરાના મોતથી આઘાતમાં સરી પડેલા પરિવારના 4 લોકોએ સામુહિક આત્મહત્યા કરી લીધી છે. એક ચિતા પર પતિ-પત્ની આ સાથે જ બીજી બે દીકરીઓના અંતિમ સંસ્કાર કર્યાં હતાં. મૃતકોમાં 48 વર્ષના હનુમાન પ્રસાદ સૈની, તેમની 45 વર્ષની પત્ની તારા, 2 દીકરી પૂજા અને અન્નૂ છે. આ દરેકે ઘરમાં એક જ રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટના જૂની છે.

આ ઘટના અંગે સામે આવ્યું કે, દીકરાના મોતથી પરિવાર ખૂબ જ આઘાતમાં છે. 27 ડિસેમ્બર, 2020એ હાર્ટ એટેકથી તેમના દીકરાનું મોત થયું હતું. થોડાં દિવસ પછી પિતા હનુમાન બાઇકથી સ્કૂલ જતાં હતાં. બંને દીકરીઓએ પણ કોલેજ જવાનું શરૂ કરી દીધું હતું. જોકે, નોકરીમાં પણ હનુમાન દીકરીની અમર યાદોમાંથી બહાર આવી શક્યા અને ન તો તેમની બંને દીકરીઓ. ભાઈના મોત પછી 3-4 દિવસો સુધી બંને બહેનો કોલેજ ગઈ હતી, પણ પછી રજા માગી લીધી હતી. મા તારા પણ દીકરાના મોતથી મોટા આઘાતમાં હતી. 4 દિવસ પહેલાં મોટી દીકરી પૂજાએ મહેંદીથી હાથ પર લખ્યું હતું કે, તેરે પાસ આ રહે હૈ મોટુ. બંને બહેનો તેમના ભાઈને પ્રેમથી મોટું કહેતી હતી.

સ્યૂસાઈડ નોટમાં પણ હનુમાને લખ્યું હતું કે, રૂપિયા, દેવું અને કોઈની ચિંતા તેમને નથી. માત્ર દીકરાના મોતથી દુખી છે. એટલે ચારેય એકસાથે સ્યૂસાઈડ કરી રહ્યા છીએ. હનુમાનની પત્ની તારા દીકરાના મોત પછી મોટા આઘાતમાં હતી. રૂમમાં પલંગ પરથી ઉઠતી નહોતી. કોઈ સાથે વાત કરવાનો તેમનો વ્યવહાર પણ બદલાઈ ગયો હતો.

દીકરાના મોત પછી તેમના પાડોસીમાં રહેતાં મહેશ ઢાંઢસ બંધાને ઘરે ગયો હતો. ત્યાં તેને દીકરાના મોતને ભૂલી આગળની જિંદગી જીવવાની વાત કહી તો, તારાએ કહ્યું કે તમારો દીકરો મરી જાત તો આ વાત કહેત. આવો જવાબ સાંભળી તે ત્યાંથી પાછા આવી ગયાં હતાં. પાડોસીમાં પણ લોકો સાથે બોલવાનું ઓછું કરી લીધું હતું.

પાડોશના લોકોએ હનુમાનને જોઈ વાત કરવાનો પ્રયત્ન કરતાં હતાં. હનુમાને તેમને કહેતાં હતાં કે સારો છું, નોકરી પર જઈ રહ્યો છું. આવો જવાબા આપી તે ચૂપચાપ નીકળી જતાં હતાં. તો જ્યારે છત પર લોખંડના મોટા સળિયા પર દોરી લગાવી એની પણ કોઈને જાણ નહોતી. તેને લગાવ્યા પછી તેમના નાના ભાઈના દીકરા યુવરાજે રૂમમાં લોખંડના સળિયા પર બાંધેલી દોરી જોઈ પૂછ્યું કે, કાકા આ કેમ લગાવ્યા છે? ત્યારે હનુમાને કહ્યું કે, આના પર ચાર ઘંટડિઓ લટકાવવાની છે. તે સમયે કાાની વાતને ભત્રીજો સમજી શક્યો નહીં અને કઈ ચાર ઘંટડીની વાત કરતાં હતાં તે જાણી શક્યો નહીં.

હનુમાને નવલગઢ નિવાસી સસરા ભાંગી પડેલાં પરિવારને સંભાળવા માટે ત્રણથી પાંચ દિવસમાં ગમે તેને લઈને મળવા આવતા હતાં. લગભગ એક બે કલાક બેસી સમજાવીને જતાં રહેતાં હતાં. ઘટનાથી પાંચ દિવસ પહેલાં આવી પરિવારને સમજવીને ગયાં હતાં, પણ તેમને હનુમાનના પરિવારના આ પગલાં વિશે જરા પણ શંકા ગઈ નહી.