આવું તો કોઈની સાથે ના થાય…એક જ ચિતા પર થયા પતિ-પત્નીના અંતિમ સંસ્કાર

મધ્યપ્રદેશનો ભયાનક સીધી માર્ગ અકસ્માત કોઈ ભૂલી શકે તેમ નથી. અત્યાર સુધીમાં 51 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે, આ અકસ્માતમાં પતિ અને પત્નીના મૃત્યુના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા, જેમણે 8 જૂન 2020માં લગ્ન કર્યા હતા અને બંનેએ સાથે જીવવા-મરવાનું વચન આપ્યું હતું. છેવટે, તેમનું વચન બધાની આંખો ભીની કરીને બધાને રોવડાવીને પુરુ થયુ. બંને આ અનહોનીમાં કાળનો ભોગ બન્યા હતા.

સીધી જિલ્લાના શમી તાલુકાનાં ગૈવાટ પંચાયતમાં દેવરીમાં રહેતા 25 વર્ષીય અજય પનિકા સીધીમાં એક ઓરડામાં રહેતા હતા અને પોતાની 23 વર્ષીય પત્ની તપસ્યાને એએનએમ પેપર લેવા સીધીથી સતના જઇ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ અકસ્માતમાં બંને પતિ-પત્નીએ જીવ ગુમાવ્યો હતો.

ઘટનાની જાણકારી થતાં જ પરિવારજનો રડતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. તાપસ્યાનો મૃતદેહ બપોરે 3 વાગ્યે અને અજયનો મૃતદેહ સાંજે 5 વાગ્યે મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ બંનેના મૃતદેહને રાત્રે 10 વાગ્યે એમ્બ્યુલન્સથી દેવરી લઈ જવામાં આવ્યા હતા.

આ અનહોનીથી આખું ગામ ગમગીન થઈ ગયું, દરેકની આંખમાં આંસુ હતા, પરંતુ મજબૂરી જુઓ કે અજયના પિતા તેમના પુત્ર-પુત્રવધૂના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શક્યા ન હતા.

આ ઘટના બની ત્યારે અજયના પિતા ગુજરાતમાં હતા, જો તેઓ ત્યાંથી આવ્યા હોય, તો તેમને 3 દિવસનો સમય લાગ્યો હોત અને પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહને આટલા લાંબા સમય સુધી રોકી શકાતા ન હતા.

બંનેના 8 મહિના પહેલા લગ્ન થયાં હતાં. અજય, તેની પત્ની તપસ્યાને ભણાવીને કંઈક બનાવવા માંગતો હતો અને તેની પરીક્ષા અપાવવા માટે સતના લઈ જઈ રહ્યો હતો.

આ પછી, બુધવારે અજય અને તપસ્યા બંનેના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા હતા અને રિવાજ મુજબ, મુખાગ્નિ આપવામાં આવી હતી. બંનેને એક જ ચિતા પર દુનિયામાંથી વિદાય આપી હતી.