બાઈકચાલકને બચાવવા જતાં બંધ ટ્રકમાં કાર ઘુસી, પાંચના ઘટનાસ્થળજે કમકમાટીભર્યા મોત

મોરબી નજીક બુધવારે મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં એક સાથે 5 યુવાનનાં મોતથી આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્પીડમાં જતા કારચાલકે સામેથી આવતાં બાઈકચાલકને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને આગળ પાર્ક કરેલી ટ્રક ન દેખાતા પાછળથી ધડાકાભેર અથડાઈ હતી. જેથી કારમાં સવાર પાંચ યુવક મોતને ભેટ્યા હતા. પોલીસ તપાસમાં મોરબીમાં રહેતા તમામ મૃતક યુવાનો મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે.

માળિયા હાઈવે પર ટીંબડી ગામના પાટિયે બુધવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો. મોરબી નજીક ભરતનગરથી કાર લઈને નીકળેલા આનંદસિંઘ શેખાવત, અશોક બિલારા, તરાચંદ બિલારા, વિજેન્દ્રસિંઘ મુનિમ, દિનેશ ઉર્ફે રાજેશકુમાર નામના યુવાનોને ટીંબડીના પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો.

ઘટના અંગે જાણ થતાં આસપાસમાંથી લોકોના ટોળે ટોળાં ઊમટી પડ્યાં હતાં. ટ્રક પાછળ ઘૂસેલી કારનો કચ્ચરઘાણ નીકળ્યો ગયો હતો. બાદમાં રાહદારીઓએ પોલીસને જાણ કરતા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસ તપાસમાં તમામ યુવાનો મોરબી શહેરના ભરતનગરથી આવતાં હતાં અને સામેથી આવતા બાઈકચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો. કારચાલક તમામ મૃતક યુવાનો મૂળ રાજસ્થાનના વતની છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. બુધવારે 9.30 વાગ્યા આસપાસ યુવકો ભરતનગર ખાતે આવેલ પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી નીકળી ગણેશનગર પોતાને ઘેર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન 10 વાગ્યા આસપાસ મોરબી- માળિયા હાઈવે પર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે અશ્નમેઘ હોટેલની સામે પાર્ક આ બનાવ બન્યો હતો.

મૃતકના નામ:
(1) આનંદસિંગ પ્રભુરામ સેખાવત (ઉ.વ. 35) રહે. ગણેશનગર, ટીમબડીના પાટિયા પાસે, મુ. રાજેસ્થાન, (2) તારાચંદ તેજપાલ બરાલા (ઉ.વ.25), (3) અશોક કાનારામ બિરડા (ઉ.વ. 24), (4)વિજેન્દ્રસિંગ, (5) પવનકુમાર મિસ્ત્રી