લગ્ન વગર જ જયા સાથે સાથે લંડન ફરવા જવા માગતાં હતા અમિતાભ બચ્ચન પણ…

મુંબઈઃ હાલમાં અમિતાભ બચ્ચચનો બર્થડે ગયો. ત્યારે અમે અમિતાભ બચ્ચન સાથે ના લગ્ન દરમિયાનનો એક કિસ્સો જણાવીએ છીએ, જેને અમિતાભે ખૂદ તેમના બ્લોગ પર શેર કર્યો હતો. જેમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, ‘‘જયા સાથે લગ્ન પહેલાં હું લંડન ફરવા જવા માગતો હતો, જેના કારણે પિતાજીએ અમારા બંનેના લગ્ન કરાવી દીધા હતા.’’

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પહેલી મુલાકાચ ફિલ્મ ‘ગુડ્ડી’નાં સેટ પર થઈ હતી. બંનેનો પરિચય ઋષિકેષ મુખર્જીએ કરાવ્યો હતો. જે બાદ બિગ બી અને જયાએ ‘જંજિર’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

ફિલ્મ ‘જંજિર’ને લઈ અમિતાભ બચ્ચને નિર્ણય કર્યો હતો કે, જો ફિલ્મ હિટ જશે તો દરેક મિત્રો સાથે લંડન ફરવા જશે.

ફિલ્મ સિનામાઘરોમાં રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. જે બાદ અમિતાભે પોતે લંડન ફરવા જવાનો કરેલો નિર્ણય તેમના પિતા હરિવંશરાય બચ્ચને કહ્યો. હરિવંશરાય બચ્ચને અમિતાભને પૂછ્યું કે, ‘‘કોની કોની સાથે લંડન જવાનું છે?’’

પિતાના સવાલનો જવાબ આપતાં અમિતાભ બચ્ચને કહ્યું કે, તેમના મિત્રો ઉપરાંત સાથે જયા બચ્ચન પણ આવી રહી છે. હરિવંશરાયે આ વાતને સાંભળી અમિતાભને કહ્યું કે, ‘‘જો તમે બંને લંડન જવા માગો છો તો પહેલાં લગ્ન કરી અને પછી જાવ.’’

અમિતાભ બચ્ચેન કંઈ જ સમજ્યા વિચાર્યા વગર પિતાને કહ્યું કે, ‘‘જી, ઠીક છે.’’ જે પછી બંને પરિવારો અને બ્રાહ્મણને લગ્નની જાણ કરવામાં આવી. અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે, ‘‘લગ્નના દિવસે સાંજે જ બંનેની લંડનની ફ્લાઇટ હતી.’

અમિતાભ બચ્ચને જણાવ્યું કે, ‘‘તેમને પોતાના લગ્નના કપડાં પહેર્યા અને ખૂદ જ કાર ધીમા વરસાદમાં કાર ડ્રાઇવ કરી હતી.’’ આ જોઈ પાડોશી આવ્યા અને તેમને અમિતાભને કહ્યું કે, ‘‘લગ્નના દિવસે વરસાદ થવો શુભ નથી.’’

સૌથી ખાસ વાત હતી કે, અમિતાભ બચ્ચનના લગ્ન ખૂબ જ ગુપચુપ રીતે કરવામાં આવ્યા હતા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી વધુ લોકો સામેલ પણ નહોતા થયા. લગ્નમાં પરિવારવાળા અને કેટલાક નજીકના મિત્રો હતા. થોડાંક જ કલાકોમાં લગ્નની વિધિ પૂર્ણ થયા પછી બંને લંડન ફરવા જવા રવાના થઈ ગયા હતાં.