એક ઘરમાંથી પાંચ સભ્યોની મળી આવી લાશો, હૃદય કંપી ઊઠશે!

એક આંચકાજનક ઘટના સામે આવી છે. અહીંયા એક જ ઘરમાં પાંચ લાશો મળી આવી છે, જેમાં 9 મહિનાની બાળકી પણ સામેલ છે.કહેવાય છે કે ચારેય લોકોએ આત્મહત્યા કરી હતી અને નવ મહિનાની દીકરીને મારી નાખી છે. આટલું જ નહીં આ પાંચેય લાશની વચ્ચે પાંચ દિવસથી એક બાળકી રહેતી હતી. પોલીસે તે બાળકીને બચાવી છે.

આ ઘટના કર્ણાટકની રાજધાની બેંગલુરુની છે. ઘરમાં લાશો કોહવાયેલી હાલતમાં મળી આવી હતી. અહીંયા પાંચ દિવસથી બે વર્ષની બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, આ ઘરમાં એચ શંકર પોતાના પરિવાર સાથે રહેતા હતા. ઘટના સમયે તે ઘરની બહાર હતા. મૃતકોમાં શંકરની બે દીકરીઓ સિનચના (34) તથા સિંધુરાની (31), દીકરો મધુસાગર (25) તથા પત્ની ભારતી (51) સામેલ છે. આ ચારેયની લાશ સિલિંગ સાથે લટકતી મળી આવી હતી. 9 મહિનાની બાળકીની લાશ પલંગ પર પડી હતી. પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી નથી.

પોલીસ અધિકારી સંજીવ એમ પાટિલે કહ્યું હતું કે મકાન માલિકે શુક્રવાર, 17 સપ્ટેમ્બરના રોજ પોલીસને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેમના ભાડુઆત ફોન રિસીવ કરતા નથી અને ઘરને લૉક મારેલું છે. જ્યારે પોલીસ ઘરમાં આવી ત્યારે પાંચ લાશ મળી હતી.

વધુમાં પોલીસે કહ્યું હતું કે ચાર-પાંચ દિવસથી લાશો ઘરમાં હોવા છતાંય આસપાસના લોકોને કેમ ખબર પડી નહીં. આશંકા છે કે પરિવારના ઝઘડાને કારણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે.