IASની તૈયારી કરતી હોવાનું કહીને યુવતીએ સપના બતાવ્યા પરંતુ અંતે કર્યું એવું કામ કે..!

લખનઉમાં એક લુટેરી દુલ્હન લગ્ન પહેલાં વરરાજાને લાખો રૂપિયાનો ચૂનો લગાવીને રફુચક્કર થઈ ગઈ. આ યુવકના 16 ડિસેમ્બરે લગ્ન થવાના હતા, પરંતુ તે પહેલા યુવતીએ તેને લૂંટી લીધો હતો અને નાસી છૂટી હતી. વાસ્તવમાં, મનોજ અગ્રવાલ નામના યુવકનો મેટ્રોમોનીઅલ વેબસાઇટ જીવન સાથી ડોટ કોમ દ્વારા એક યુવતી સાથે પરિચય થયો, ત્યારબાદ આ મામલો લગ્ન સુધી પહોંચ્યો.

લખનઉના રહેવાસી મનોજ અગ્રવાલે લગ્ન માટે જીવન સાથી ડોટ કોમ પર તેની પ્રોફાઇલ બનાવી હતી. દરમિયાન, 15 ઓગસ્ટના રોજ તેને પ્રિયંકા સિંહ નામની યુવતીની રિક્વેસ્ટ મળી, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. મનોજ અનુસાર, યુવતીએ તેને કહ્યું કે તે બિહારની રહેવાસી છે અને તેના માતાપિતાનું અવસાન થયું છે. તે તેની કાકી સાથે રહે છે અને દિલ્હીમાં અભ્યાસ કરે છે.

કથિત રૂપે, મનોજના પરિવારના સભ્યો અને પ્રિયંકાની માસીએ વાટાઘાટો કરી તેમના સંબંધોને અંતિમ સ્વરૂપ આપ્યું. આ દરમિયાન મહિલાએ મનોજને એમ પણ કહ્યું હતું કે, તે આઈએએસ (UPSC) ની તૈયારી કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેની પસંદગી કરવામાં આવશે. મનોજના કહેવા પ્રમાણે, યુવતીએ તે જ બહાને પૈસા માંગવાનાં શરૂ કર્યા હતા. મનોજે જણાવ્યું કે, યુવતી 10 હજાર અને 20 હજાર અને 50 હજાર રૂપિયા અભ્યાસ માટે માંગતી હતી, અને તે ભાવિ પત્ની સમજીને આપી દેતો હતો. આ રીતે યુવકે મકાન બાંધવા માટે યુવતીને જમા કરાવેલ આશરે 6 લાખ રૂપિયા આપ્યા હતા.

છેલ્લા 6 મહિનાથી આ બંને વચ્ચે વ્હોટ્સએપ ચેટિંગ ચાલી રહ્યુ હતુ અને બંનેને મળવાનું પણ થતું હતું. દરમિયાન, લગ્નની તારીખ 16 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. આ વાતથી યુવક ખૂબ જ ખુશ હતો અને તેણે તેના લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી. જ્યારે ફરાર યુવતી મનોજને મળવા લખનઉ પહોંચી ત્યારે મનોજે તેની ફ્લાઇટનું ભાડુ પણ ચૂકવ્યું હતું. મનોજે તેને મોલમાં લગભગ 2 લાખ રૂપિયામાં ખરીદી કરી હતી.

આ પછી કથિત રીતે આરોપી પ્રિયંકા સિંહ છેલ્લીવાર હૈદરાબાદ જવાની વાત કરીને મનોજને ચુનો લગાવીને ફરાર થઈ ગઈ હતી. યુવતી ગાયબ થઈ ગયા બાદ ફક્ત તેનો જ નહીં પરંતુ તેની માસીનો પણ ફોન ઓફ થઈ ગયો હતો. મનોજે જ્યારે પ્રિયંકા દ્વારા આપવામાં આવેલાં આધાર કાર્ડ, પૅનકાર્ડ અને વોટરકાર્ડની તપાસ કરી તો તે પણ બનાવટી નીકળ્યા હતા.

જ્યારે પીડિત આરોપી પ્રિયંકા દ્વારા બિહાર અને દિલ્હીના આપવામાં આવેલા સરનામાંની તપાસ કરવા ગયો હતો, ત્યારે તે પણ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું, ત્યારબાદ પીડિતને છેતરાયો હોવાનો અહેસાસ થયો હતો. લગ્ન પહેલા જ પ્રિયંકા નામની યુવતીએ મનોજને લૂંટી લીધો હતો અને તે ફરાર થઈ ગઈ હતી. આ પછી પીડિત મનોજે યુવતી વિરુદ્ધ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.