ધન્ય છે આ દીકરાઓને, જીવતે જીવ મા-બાપને ભગવાનની જેમ પૂજ્યાં ને મર્યાં બાદ બનાવ્યું મંદિર

કર્ણાટક: આ જમાનામાં ઘણાં સંતાનો પોતાના માતા-પિતાને છોડી દીધા હોય અને સેવા નહીં કરતાં હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે માતા-પિતાના મોત સંતાનોએ તેમનું મંદિર બનાવ્યું હતું જેની તસવીરો સામે આવી છે. કર્ણાટકના કલબુર્ગીમાં ત્રણ સંતાનોએ માતા-પિતા જીવીત હતાં ત્યાં સુધી તમે તમામ ઈચ્છો પુરી કરી અને તેમની સેવા કરી હતી. જોકે બાદમાં તેમનું મોત નિપજ્યું હતું ત્યાર બાદ સંતાનોએ તેમનું મંદિર બનાવ્યું છે. આ મંદિરના નિર્માણ પર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આખા ગામને જમાડ્યા હતાં.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કર્ણાટકના કલબુર્ગીના એક ગામાં રહેતા ખેડૂત એવા વિશ્વનાથ પાત્રેનું અંદાજે 3 વર્ષ પહેલા નિધન થયું હતું. જ્યારે 6 મહિના પહેલા તેમની પત્ની લક્ષ્મીબાઈનું નિધય થયું હતું. માતા-પિતાના નિધન બાદ ત્રણ સંતાનોએ એક મોટો નિર્ણય કર્યો હતો અને સાથે મળીને એક નાનકડા મંદિરનું નિર્માણ કર્યું હતું અને પોતાના માતા-પિતાનું મૂર્તિનું આ મંદિરમાં સ્થાપિત કરી હતી.

બે પુત્રોએ માતા-પિતા માટે મંદિરના બનાવવા માટે અંદાજે 2 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. આજે પણ ગામના લોકોએ તેઓના આ કાર્યની ખૂબ જ પ્રશંસા કરી રહ્યાં છે. આ સંતાનોએ કહ્યું કે, અમારા માતા-પિતા કહેતા હતા કે શિક્ષિત થઈને સારા નાગરિક બનજો. આજે આ ત્રણેય ભાઈઓમાં અઢળક પ્રેમ જોવા મળી રહ્યો છે.

સૌથી મોટા દીકરાએ કહ્યું હતું કે, તે માતા-પિતાની સેવા કરવા માટે સીટીમાંથી માદરે વતન પરત ફર્યો હતો. તેણે કહ્યું કે, હું ધોરણ 10 સુધી ભણ્યો છું અને મારાં બંને નાના ભાઈ સરકારી નોકરી કરે છે. આ ત્રણેય ભાઈઓના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમના બાળકો પણ છે.

માતા-પિતાના નિધન બાદ તેમણે પોતાના સંસાધનો એકત્રિત કર્યાં હતા અને માતા-પિતાનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો. તેમણે આ મંદિર બનાવ્યા બાદ તેમાં માતા-પિતાની મૂર્તિ સ્થાપિત કરી હતી. તેઓ આ મંદિરમાં માતા-પિતાની મૂર્તિની પૂજા કરશે. હાલ આ તસવીરો સામે આવી છે જે અંગે અમે કોઈ પણ પ્રકારની પૃષ્ટિ કરતાં નથી.