પ્રેમમાં પાગલ બનીને કર્યાં લગ્ન, પણ અચાનક જ આવી ગઈ જૂની પ્રેમિકા

આઠ મહિના પહેલાં લવ મેરેજ કરનારા કપલના લગ્ન આઠ મહિના પણ ચાલ્યા નહીં. પતિ-પત્નીની વચ્ચે જૂની પ્રેમિકા આવી જતાં પરિણીતાએ ઝેર ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી નથી. જોકે, પતિ-પત્નીના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. પરિણીતાના પિતાએ સાસરીયા પર હેરાન કરવાનો આક્ષેપ મૂક્યો છે.

મધ્યપ્રદેશના ઈન્દોરના પરદેશીપુરા જનતા ક્વાર્ટરમાં રહેતી યુવતીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી છે. કહેવાય છે કે આઠ મહિના પહેલાં તેણે લવ મેરેજ કર્યા હતા. આત્મહત્યાની પાછળ પતિની પૂર્વ પ્રેમિકા સાથે લગ્ન પછી પણ વાત કરવાનું કારણ સામે આવી રહ્યું છે.

ટીઆઇ અશોક પાટીદારના મતે, જનતા ક્વાર્ટરમાં રહેતી 18 વર્ષીય કોમલને તેનો પતિ શિવમ ગાયકવાડ સોમવાર, 6 સપ્ટેમ્બરના રોજ એમવાય હોસ્પિટલ લઈને ગયો હતો. અહીંયા બીજા દિવસે કોમલનું મૃત્યુ થયું હતું. તપાસમાં એ વાત સામે આવી કે કોમલ સાડીની દુકાનમાં કામ કરતી હતી. શિવમ કાફેમાં કામ કરતો હતો.

બંનેએ 8 મહિના પહેલાં લવ મેરેજ કર્યા હતા. જોકે, તેમની વચ્ચે એક યુવતી અંગેનો વિવાદ ચાલતો હતો. તે સર્વહારા નગરમાં રહે છે. અહીંયા કોમલ રહેતી હતી. પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી નથી. ટીઆઇ પાટીદારના મતે, કોમલનો મોબાઇલ જપ્ત કરીને તપાસ કરવામાં આવી રહી છે. કોમલના પરિવારમાં ભાઈ તથા બહેન છે.

યુવતીના પિતાએ આરોપો મૂક્યાઃ કોમલના પતિ હેમરાજે કહ્યું હતું કે શિવમ ઉર્ફે બિટ્ટુ લગ્ન બાદ કામધંધો કરતો નહોતો. દીકરીને માર મારતો હતો. જ્યારે કોમલે કામ શરૂ કર્યું તો પગાર પણ તે લઈ લેતો હતો. થોડાં દિવસ પહેલાં જ કોમલને માર માર્યો હતો. તે કોમલ પર શંકા કરતો હતો અને તેની જાસૂસી કરતો હતો. આ વાતથી કોમલ હેરાન પરેશાન રહેતી હતી.