ભાગીને મામાના દીકરા સાથે લગ્ન કર્યા, પછી પતિની હાજરીમાં જ મહંત સાથે સંબંધ બાંધ્યા

9 વર્ષ પહેલાં ભાગીને મામાના દીકરા સાથે એક યુવતી હજારો કિમી દૂરથી અમદાવાદ દોડી આવી હતી. જોતાજોતાંમાં જ વર્ષો વીતી ગયાં, બે બાળકો પણ થયાં છતાં લવ, સેક્સ અને ધોખાની ગેમમાં યુવતીને મોત મળ્યું. કારણ એટલું જ હતું તેણે પ્રેમી એવા મામાના દીકરા અને તેનાં બાળકોની સાથે દગો કર્યો હતો. તેણે પાસેના એક મહંત સાથે પ્રેમસંબંધ બંધ્યો હતો. હદ ત્યારે વટી ગઈ હતી જ્યારે બાળકો અને તેના પતિની હાજરીમાં મહંત ઘરે આવતો. મહંત તેમની સામે જ તમામ હદો પાર કરી દેતા.

બે બાળકોની માતા એ મહંત સાથે રંગરેલિયા મનાવતી. બસ પતિ તેની પત્નીને પ્રેમી સાથે જોતો ત્યારે તેના પગ તળેથી જમીન ખસી જતી, પરંતુ બેશરમ બનેલી પત્ની મહંત સાથે મોજ કરતી, જેથી કંટાળીને પતિએ બાળકોની હાજરીમાં જ પત્નીની હત્યાને અંજામ આપ્યો હતો. આ હકીકત નરોડામાં મળેલી યુવતીની લાશની તપાસ કરતાં પોલીસને હાથ લાગી છે. એટલું જ નહીં, હત્યારા પતિને પોલીસે પકડી લીધો છે, બે બાળકો હવે મા-બાપ વગરનાં થઈ ગયાં છે. આડાસંબંધના ખેલમાં માતાની હત્યા થઈ છે અને હત્યા કરનાર બાપ જેલહવાલે થયો છે. 9 વર્ષના પ્રેમસંબંધમાં પતિ-પત્ની બની ગયાં, પરંતુ તેમનાં બાળકો હવે અનાથ થઈ ગયાં છે.

પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, પણ અફસોસ નહીં
અમદાવાદના નારોલમાં ઘરમાં બે માસૂમ બાળકો અને નિર્દોષ પતિ પત્ની સાથે વહાલની રાહ જોઈ રહ્યાં હતાં. માતા બાળકોને હેતથી રમાડશે અને પતિ પત્નીની મીઠી નજર પોતાના પર આવશે, પરંતુ પત્નીની પતિ નહીં, તેના પ્રેમીને ચાહતી હતી. આ પ્રેમી કોઈ બીજું નહીં, પણ નજીકના મંદિરનો મહંત હતો. તે બાળક અને પતિની હાજરીમાં ઘરે આવતો હતો. તે બાળકો અને પતિને ઘરની બહાર કાઢી મૂકતો અને પત્નીની સાથે પ્રેમી રંગરેલિયા મનાવતો હતો. પતિ જ્યારે પત્નીને પ્રેમી સાથે જોતો હતો, ત્યારે પત્ની બેશરમ બની મહંત સાથે મજા કરતી હતી. આ સમગ્ર મામલો પોલીસ તપાસમાં બહાર આવ્યો છે. એને કારણે પતિએ બાળકોની હાજરીમાં પત્નીની હત્યા કરી નાખી છે. એનો અફસોસ પણ પતિને નથી અને બાળકો પણ આ વાતથી માહિતગાર હતાં. તેમને પણ પોતાની માતાના વ્યાભિચાર વિશે તમામ માહિતી હતી.

પત્નીની હત્યા કરી પતિ બાળકો સાથે વતન ભાગ્યો
નારોલ વિસ્તારમાં શનિવારે સવારે મકાનમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. એ મામલે પોલીસે તપાસ કરતાં મહિલાના પતિએ જ મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. મહિલાનો પતિ હત્યા કર્યા બાદ ટ્રેનમાં બેસીને તેના વતન તરફ જવા રવાના થતો હતો. એ સમયે જ પોલીસે તેની ધરપકડ કરી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાથી હત્યા કરી હોવાનું પતિએ પોલીસને જણાવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

હત્યારા પતિને ટ્રેનમાં બાળકો સાથે દબોચી લીધો
24 ડિસેમ્બરે નારોલના આકૃતિ ટાઉનશિપના એચ બ્લોકમાં રિંકુ ઉર્ફે રિયા ભારદ્વાજ નામની મહિલાની લાશ મળી આવી હતી. ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી પોલીસે સૌથી પહેલા હત્યા મામલે મહિલાના પતિ અજય ભારદ્વાજ પર જ શંકા હતી, જેથી પોલીસે એ દિશામાં જ તપાસ હાથ ધરી હતી. હત્યારા પતિ અજયને પોલીસે યુપી જતી ટ્રેનમાંથી જ ઝડપી પાડ્યો હતો. આરોપીને 2 બાળક પણ હતાં. અજયની પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું હતું કે 9 વર્ષ અગાઉ અજયે તેના જ ફોઈની દીકરી રિંકુ સાથે લવ-મેરેજ કર્યા હતા. લગ્ન કર્યા બાદ તેઓ ભાગીને અમદાવાદ આવી ગયાં હતાં. નારોલ ખાતેના મકાનમાં છેલ્લા 6 મહિનાથી તેઓ ભાડે રહેતાં હતાં. સંતાનમાં 2 બાળકો પણ છે. પત્નીને લગ્ન બાદ પેટસંબંધી કોઈ બીમારી હતી, જેથી તે પીપળજના કોઈ મહંત સાથે ઈલાજ કરાવતી હતી. ત્યાર બાદ અજયને રિંકુને મહંત સાથે અનૈતિક સંબંધ હોવાની જાણ થઈ હતી, જેથી તેને પત્નીની હત્યાનો પ્લાન 5 દિવસ અગાઉ જ બનાવી દીધો હતો.

શું થયું એ કતલની રાતે?
23 ડિસેમ્બરના રાતે જમ્યા બાદ સૂઈ ગયા હતા ત્યારે મોડી રાતે 1:30 વાગ્યાએ અજયે પત્ની રિંકુનું ઊંઘમાં જ ગળું દબાવી હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ અગાઉથી જ ગોરખપુર જવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી હતી. પત્નીને ઊંઘતી હાલતમાં જ મોતને ઘાટ ઉતારીને ઘરને બહારથી બંધ કરી અજય બે બાળક સાથે ટ્રેનમાં પોતાના વતન તરફ નાસ્યો હતો. જોકે સવારે પોલીસને હત્યાની જાણ થતાં તાત્કાલિક અજયની ધરપકડ કરી હતી.

હત્યાના આગલા દિવસે ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી
23 ડિસેમ્બરના રાતે જમ્યા બાદ સૂઈ ગયા હતા, ત્યારે મોડી રાતે 1:30 વાગ્યાએ અજયે પત્ની રિંકુનું ઊંઘમાં જ ગળું દબાવી હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ અગાઉથી જ ગોરખપુર જવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી હતી. હત્યા બાદ ઘરને બહારથી બંધ કરી અજય બે બાળક સાથે ટ્રેનમાં પોતાના વતન તરફ જવા રવાના થયો હતો. જોકે સવારે પોલીસને હત્યાની જાણ થતાં તાત્કાલિક અજયની ધરપકડ કરી હતી.

પત્ની બાળકો સાચવતી ન હતી અને પતિ જ ઘરકામ કરતો
પોલીસની તપાસ એ પણ જાણવા મળ્યું હતું કે મૃતક પત્ની રિંકુ લગ્ન બાદ 2 બાળકોને સાચવતી નહોતી અને અજય જ રાતે ઘરે જમવાનું બનાવતો હતો. આમ, વારંવાર આ ત્રાસથી કંટાળીને આખરે અજયે પત્નીની હત્યા કરીને નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે અજયનો આ પ્લાન નિષ્ફળ રહ્યો છે. અનૈતિક સંબંધની શંકાની આડમાં હત્યા તો થઈ, પરંતુ હવે બંને બાળકો માતા-પિતા વિનાનાં થઈ ગયાં છે.