સીરિયલના સાથી કલાકારો અકળાયા: કહ્યું- દિશા સ્પષ્ટતા કરે તો નવી દયાબેનની શોધ થાય

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનો ફેવરીટ કોમેડી શો છે. છેલ્લાં ઘણા વર્ષોથી સતત દર્શકોને હસવા માટે મજબૂર કરી રહ્યો છે. જોકે શોમાં દયાભાભી છેલ્લાં ઘણા સમયથી દેખાતા નથી. દયાભાભી એટલે કે દિશા વાકાણીના શોમાં પાછા આવવાની અટકળો અનેક વખતે ઉડી ચૂકી છે, પણ સીરિયલમાં હજી તેમની એન્ટ્રી થઈ નથી. દર્શકોની સાથે હવે સીરિયલના સાથી કલાકારો પણ દયાભાભીના વલણથી નારાજ હોય એવું લાગી રહ્યું છે

વર્ષ 2017થી શોમાં બ્રેક લઈ ચૂકેલી દિશા વાકાણી હજી પણ સીરિયલમાં દેખાશે નહીં તેની અટકળો જ ચાલી રહી છે. ખુદ દિશા વાકાણી પણ આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

આ તરફ સીરિયલનો મહત્વનો હિસ્સો રહેલા અને નટુકાકાનો રોલ પ્લે કરી રહેલાં ઘનશ્યામ નાયકે દિશા વાકાણીને લઈને પોતાના વિચારો રાખ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આખી ટીમ અત્યારે દયાબેનને મિસ રહી રહી છે.

એક ન્યૂઝ પોર્ટલને આપેલાં ઈન્ટરવ્યૂમાં ઘનશ્યામ નાયકે કહ્યું કે અમે ઘણા વર્ષોથી તેમની રાહ જોઈ રહ્યા છીએ. આશા છે કે તે પાછી ફરશે. પરંતુ જો તે આ અંગે કંઈ સ્પષ્ટતા કરે તો મેકર્સ પણ નવી દયાબેનને શોધી શકે છે. પરંતુ આ નિર્ણય પ્રોડક્શન હાઉસનો જ છે.

નટુકાકાએ કહ્યું કે દિશા વાકાણી આ શો માટે ઘણું મહત્વ ધરાવે છે. આખી ટીમ હવે તેમની રાહ જોતા થાકી ગઈ છે. નટુકાકનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું છે.

તેમનું કહેવું છે કે હવે નવી દયાબેન વિશે વિચારવું જોઈએ, ઘણા પ્રશ્નો ઉભા કરે છે. શું તેઓ આ સંકેત આપી રહ્યા છે કે નિર્માતાઓ પણ દિશા વાકાણીની રાહ જોવાના નથી. શું નિર્માતાઓએ નવી દયાબેનને શોધવાનું શરૂ કર્યું છે?

આમ તો થોડા સમય પહેલાં, અસિત કુમાર મોદીએ આ મુદ્દા વિશે વિગતવાર વાત કરી હતી. તેમણે કહ્યું કે તે દિશા વાકાણીના સંપર્કમાં છે અને તેમને આ શોમાં લાવવા માટે વાતચીત ચાલી રહી છે.

હાલ દર્શકો પણ નટુકાકાને ખૂબ યાદ કરી રહ્યા છે. કોરોનાને કારણે તે સેટ પર પાછા આવી શક્યા નથી. તેઓ પણ લાંબા સમયથી શોની બહાર છે.