માત્ર 7500 રૂપિયા આપીને ભગાવો ભૂત-પ્રેત, પાંખડી બાબાએ ખોલ્યો કેમ્પ પણ પછી…

વિજ્ઞાને ગમે તેટલી પ્રગતિ કેમ ન કરી લીધી હોય પરંતુ વૈજ્ઞાનિક યુગમાં પણ લોકો ભૂત-પ્રેત અને અંધવિશ્વાસમાં બહુજ વધારે માને છે. તેનું જીવતુ-જાગતુ ઉદાહરણ મધ્યપ્રદેશના રાજગઢથી સામે આવ્યું છે જ્યાં તંત્ર-મંત્ર દ્વારા ભૂતોથી મુક્તિ મેળવવાનો દાવો કરવામાં આવે છે.

રાજગઢ જિલ્લાના કુરાવર નગરથી 4 કિલોમીટર દૂર ઔદ્યોગિક ક્ષેત્રના પીલુખેડીમાં અંધશ્રદ્ધાનું એક અનોખું નાટક ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રથી અહીં આવેલા એક બાબા પ્રેમ સાંઇએ 5 દિવસથી પોતાનો દરબાર જમાવીને રાખ્યો છે.

આ પાખંડી બાબાનાં દરબારમાં આસપાસનાં સેંકડો લોકો અને મહિલાઓ એકત્ર થઈ ગયા અને પછી શરૂ થયુ ભૂત-પ્રેતનાં નામે મંત્ર-તંત્રનું નાટક, આ દરબારમાં સામેલ થવા માટે દરેક વ્યક્તિ પાસેથી 7500 રૂપિયા લેવામાં આવતા હતા.

બાબાએ સુદર્શન યજ્ઞ કરવાની પરવાનગી લઈને ભવ્ય પંડાલ લગાવીને દાવો કર્યો હતો કે, જે મહિલાઓ અને લોકો પર ભૂત-પ્રેતની બાધા છે, તેને તેઓ દૂર કરશે. તેના માટે લોકો પાસેથી 7 હજારથી વધારે રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હતા. અને તેના માટે કાઉન્ટર બનાવવામાં આવ્યુ હતુ.

5 દિવસનાં પાખંડ બાદ જ્યાપે રાજગઢ પ્રશાસનને તેની જાણ થઈ તો પોલિસની મદદથી ભૂત-પ્રેતના નામે ગેરકાયદેસર વસૂલ કરી રહેલાં બાબાનાં તંબૂને હટાવવામાં આવ્યો હતો. જે બાદ ઢોંગી બાબા ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.