નાના ભાઈના નિધનથી તૂટી ગયા રણધીર કપૂર, રડી રડીને હાલ થયા બેહાલ

રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરનું 58 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે નિધન થયું હતું. રાજીવનું અચાનક જ નિધન થતાં કપૂર પરિવારને ઘેરો આઘાત લાગ્યો હતો. રણધીર કપૂર એકદમ ભાંગી પડ્યા હતા. તેમને એક ભાઈનું ગયા વર્ષે નિધન થયું અને 10 મહિના બાદ જ સૌથી નાના ભાઈનું નિધન થતાં તૂટી ગયા હતા.

હોસ્પિટલમાંથી રાજીવ કપૂરનો પાર્થિવ દેહ લેતા સમયે 73 વર્ષીય રણધીર કપૂર લથડીયું ખાઈ ગયા હતાં અને પડતાં પડતાં માંડ બચ્યા હતા.

જ્યારે પાર્થિવ દેહ ઘરને લઈને આવ્યા ત્યારે રણધીર કપૂરની આંખોમાંથી આંસુ વહેવવા લાગ્યા હતા. તેમને નર્સ તથા અન્ય માણસોએ ચાલવામાં મદદ કરી હતી.

રણધીર તથા રાજીવ વચ્ચે ઉંમરમાં 15 વર્ષનું અંતર હતું. રણધીર કપૂરે દોણી ઉપાડી હતી. દોણી ઉપાડતા સમયે રણધીરે લાકડી તથા સહાયકની મદદ લીધી હતી.

સ્મશાનમાં પણ ભાણીયા આદર તથા અરમાન જૈન અને ભત્રીજો રણબીર સતત તેમનું ધ્યાન રાખતા હતા અને તેમનો હાથ પકડી રાખ્યો હતો.