મુસ્લિમ મહિલા પૈસાદાર હિંદુઓને આ રીતે ફસાવતી, પોલીસ પણ જાણીને ચમકી ગઈ

ઉજ્જૈનમાં યૂનાઇટેડ આંતરરાષ્ટ્રીય માનવ અધિકારી ટ્રસ્ટમાં રૂપિયા લઈને ખોટી ભરતી કરવા મામલે ધરપકડ કરાયા બાદ શિરીન હુસૈન અંગે મોટો ખુલાસો થયો છે. તે પેમ્ફલેટ હિન્દુ વિસ્તારમાં વેચાવતી અને ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓને ફરિયાદ કરવા માટે કહેતી હતી. કોઈ પીડિતા તેની પાસે આવતી ત્યારે તે આરોપી પરિવાર પાસેથી બ્લેકમેલિંગ શરૂ કરી દેતી હતી. રૂપિયાવાળા આધેડ અને વૃદ્ધોને લગ્નની લાલચમાં ફસાવી લેતી હતી. પોલીસે તેમની તપાસ શરૂ કરી છે.

પોલીસે શિરીન હુસૈનની પત્ની અનામ હુસૈનને રવિવારે કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે તેને ત્રણ દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપી દીધી છે. પોલીસે તેની શનિવારે નાગઝિરી સ્થિત ઘરમાંથી ધરપકડ કરી હતી.

આ રીતે લૂંટતી હતી શિરીન
1. છાંપામાં પેમ્ફલેટ નંખાવીને મહિલાઓને ફસાવવાનું કામ કરતી હતી. આ પેમ્ફલેટ હિન્દુ વિસ્તારમાં વેચાવતી હતી. જેવી કોઈ મહિલા ફરિયાદ લઈને પહોંચતી તેનો કેસ સ્ટડી કર્યા પછી બીજા પક્ષને બ્લેકમેલ કરવાનો શરૂ કરી દેતી હતી.

2. શિરીન હુસૈને છાંપામાં પ્રકાશિત મહિલા ઉત્પીડન, જમીની વિવાદ, ઘરેલુ હિંસા, શ્રમિક શોષણ પોલીસ દ્વારા FIR દાખલ કરાવવા સહિતના મામલે નજર રાખતી હતી. તે પીડિતોનો અવાજ ઉઠાવવાના નામ પર લોકો પાસેથી રૂપિયા લૂંટતી હતી.

3. શિરીન નેતા અને ઓફિસરનો સાથે મળી તેમને ફૂલ, બુકે અથવા કોઈ રીતનું પ્રમાણ પત્ર આપતાં ફોટો ખેંચાવતી અને પછી તેને ફેસબુક અને સોશિયલ મીડિયા પર વાઇરલ કરતી હતી. તે કહેતી હતી કે, મારી આમની સાથે સીધી વાત છે. આ નામથી તે રૂપિયા કમાતી હતી.

4. તેના નેટવર્કમાં સામેલ એક યુવકે પોલીસને જણાવ્યું કે, મેડમ એવા લોકોને પણ નિશાન બનાવતી હતી. જે અમીર છે અને તેમના લગ્ન થઈ રહ્યા ના હોય. તેમના દ્વારા સંચાલિત એનજીઓમાં તે સુંદર છોકરીઓને રાખતી હતી. તે પહેલાં એવા લોકો સાથે ખુદની ઓળખાણ કરતી પછી તેમને લગ્ન માટે છોકરીઓની ઓફર આપતી હતી. લગ્ન પછી છોકરીઓ દ્વારા તેમના પર કેસ કરાવતી હતી. તેમને બ્લેકમેલ કરવા માટે ભેગી કરેલા ઘર અને દુકાનના ઓરિજિનલ રજિસ્ટર રખાવતી હતી.

આ રીતે થઈ ધરપકડ
શિરીન હુસૈન નિવાસી આદર્શ નગર. નાગઝિરીએ રૂપિયા લઈને સંગઠનમાં ઘણી ભરતી કરી હતી. શિરીને બુરહાનપુરના લગભગ 30 લોકો પાસેથી 60 હજાર રૂપિયા લઈને નિયુક્તિ પત્ર અને ઓળખ પત્ર પણ જાહેર કરી દીધા છે. આ ઉપરાંત ઉજ્જૈનમાં પણ ઘણાં લોકો પાસેથી રૂપિયા લઈને ભરતી કરવામાં આવી હતી. આ ફરિયાદ જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મધુ યાદવ નિવાસી લખનઉ સુધી પહોંચી તો તેમણે પહેલાં શિરીનને સમજાવી પણ તે માની નહીં. તેણે સંગઠન સામે જ મોર્ચો ખોલી દીધો હતો. ત્યારે 6 સપ્ટેમ્બરે મધુ યાદવને ઉજ્જૈન આવીને ઉચ્ચ શિક્ષા મંત્રી મોહન યાદવને કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો. આ પછી મધુ યાદવે 11 સપ્ટેમ્બરે ઉજ્જૈન આવીને નાગઝિરી પોલીસ સ્ટેશનમાં શિરીન સામે ફરિયાદ નોંધાવી દીધી હતી.

કોંગ્રેસ-ભાજપ અને મુસ્લિમ નેતા થયા એક્ટિવ
શિરીનની ધરપકડ થતાં જ કોંગ્રેસ-ભાજપ અને મુસ્લિમ નેતા તેને બચાવવા માટે એક્ટિવ થઈ ગયા છે. આ દરેકને શિરીનના ઘરની બહાર લાગેલા CCTV ફૂટેજમાં પકડાઈ જવાનો ડર છે. શિરીને કોંગ્રસ સાથે ભાજપના નેતાઓ સાથે પણ ગાઢ સંબંધ છે. કેટલાક દિવસ પહેલાં શિરીનનું મહિલા મોર્ચાના પદાધિકારીઓએ સન્માન પણ કર્યું હતું. તેમની ધરપકડના ત્રણ દિવસ પહેલાં નવાગત આઇજી સંતોષ કુમાર સિંહને પણ મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપના એક કદાવર નેતાના પ્રતિનિધિ સાથે પણ તેમના નજીકના સંબંધો છે. આ પ્રતિનિધી શિરીન માટે અને તેમના માધ્યમથી લાઇઝનિંગનું કામ પણ જુએ છે.

એટલું જ નહીં શિરીન મામલે એક મુસ્લિમ નેતાને પણ ત્રણ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. આ મુસ્લિમ નેતાનું નામ પૂર્વ પ્રતિબંધિત સંગઠન સિમીની આતંકવાદી ગતિવિધિ સાથે જોડાઈ ચૂક્યું છે. ચામુંડા માતા ચાર રસ્તા નજીક થયેલાં સાંપ્રદાયિક વિવાદમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. આ પછી તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો.

એટલું જ નહીં શિરીન મામલે એક મુસ્લિમ નેતાને પણ ત્રણ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. આ મુસ્લિમ નેતાનું નામ પૂર્વ પ્રતિબંધિત સંગઠન સિમીની આતંકવાદી ગતિવિધિ સાથે જોડાઈ ચૂક્યું છે. ચામુંડા માતા ચાર રસ્તા નજીક થયેલાં સાંપ્રદાયિક વિવાદમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. આ પછી તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો.

શિરીન હુસૈન લોકો સાથે દગાખોરી કર્યા પછી હવે પોલીસને ગુમરાહ કરી રહી છે. પૂછપરછમાં પોલીસે તેને ઉજ્જૈનના એનઆઇએસ કોલેજ વિશે ભ્રામક માહિતી આપી હતી. જેના આધારે પોલીસે કોલેજ પહોંચીને દસ્તાવેદની તપાસ કરી હતી. જોકે, સીએસપી પલ્લવી શુક્લાએ કહ્યું કે, શિરીન હુસૈન દ્વારા આપવામાં આવેલી દરેક માહિતી ભ્રામક છે. સંસ્થામાં એવી કોઈ ગડબડ મળી નથી જે શિરીને જણાવી હતી.