વડનગરમાં પ્રાચીન અવશેષો મળ્યા, કિંમતી બંગળીઓ અને વાસણો પણ મળી આવ્યા

વડનગરમાંથી પુરાતત્વ વિભાગને બે હજાર વર્ષ જુનું નગર મળી આવ્યું છે. જેમાં વૈભવી કિલ્લો ઉપરાંત શંખની કલાત્મક બંગડીઓ, ચાંદી, તાંબા-પિતળના સિક્કા, માટીના વાસણો તેમજ મકાનો મળી આવ્યા છે. તેનાથી એક બાબત સિદ્વ થાય છે કે વડનગરની નીચે એક ખૂબ જ વ્યવસ્થિત નગર હતું. ધરબાયેલા ઇતિહાસની જે તસ્વીરો સામે આવી છે તે જોઈને તમે આશ્ચર્યચકિત થઇ જશો !

મહેસાણા જિલ્લાના વડનગરમાં અમરથોળ નજીક હાલ અંડરગ્રાઉન્ટ મ્યૂઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. તેની બાજુમાં કેન્દ્રીય પુરાતત્વ વિભાગે પૃથ્વીના પેટાળમાં ધરબાયેલો ઇતિહાસ ઉજાગર કરવા માટે ફરી એકવાર ઉત્ખનન શરૂ કર્યું.

જેમાં 2000 વર્ષ જૂનો 12 થી 14 મીટર લાંબો કિલ્લો મળી આવ્યો છે. જેનો 50 મીટર જેટલો કોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. 200 મીટર જેટલો કોટ હજી પણ ખુલ્લો કરવામાં આવશે. અહીં આશરે એક હજાર વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે.

ઉત્ખનન પ્રક્રિયા દરમિયાન અદ્ભુત કહી શકાય તેવી શંખની કલાત્મક બંગડીઓ, ચાંદી, તાંબા-પિતળના સિક્કા, માટીના વાસણો અને મકાનો સહિત અનેક નવી વસ્તુઓ મળી આવે છે. જેને લઇને સ્થાનિક લોકોમાં ઉત્સુકતા તેમજ કુતુહુલ જોવા મળી રહી છે.

અહીં મળી આવેલા મકાનો ગાયકવાડો તેમજ સોલંકી કાળના હોવાનું કહેવાય છે. આ અંગેના અવશેષો પણ મળી આવ્યા છે. પાકા રસ્તા, ગટર અને પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા પાંચ કિલોમીટરનો કોટ મળી આવ્યો છે. તેનાથી એક બાબત કહી શકાય થાય છે કે વડનગરની નીચે એક ખૂબ જ વ્યવસ્થિત નગર વસેલું હતું.

હજારો વર્ષ પહેલા પણ ગુજરાત કેટલું સમૃદ્ધ હતું તેનો પણ આ બોલતો પુરાવો છે. અહીં અવશેષો મળશે ત્યાં સુધી પુરાતત્વ વિભાગ તરફથી ખોદકામ કરવામાં આવશે. એવી સંભાવના છે કે અહીંથી ખુબ જ ઐતિહાસિક વસ્તુઓ અને સંશોધકોને મહત્વની વસ્તુઓ મળશે. જેનાથી દેશ તથા રાજ્યના સમૃદ્ધ ઇતિહાસની જાણકારી મળશે. જ્યાં સુધી અવશેષો મળતા રહેશે ત્યાં સુધી ખોદકામ કરવામાં આવશે.