ડેવિડ ધવને ગોવિંદાને ના આપ્યું દીકરાના લગ્નનું આમંત્રણ, વર્ષો જૂનો છે સંબંધ

બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન અને નતાશા દલાલ રવિવારે લગ્નના બંધનમાં બંધાઈ જશે. બન્નેના લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. લગ્ન પહેલા કોવિડ અને પરિવારની પ્રાઈવેસીને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વર્ષ 2021માં આ પહેલા સેલિબ્રિટી વેડિંગ હશે અને ચાહકો પણ આ લગ્નને લઈને બહુ જ એક્સાઈટમેન્ટ છે. લગ્નમાં મહેમાનોના લિસ્ટને લઈને પણ બહુ ચર્ચા ચાલી રહી છે.

બોલિવૂડ હંગામાના એક રિપોર્ટ પ્રમાણે, પહલાજ નિહલાની અને ગોવિંદાને લગ્નનું કાર્ડ મોકલવામાં આવ્યું નથી. પરંતુ આ ફક્ત બે નામ એવા નથી જે ધવન પરિવાર સાથે જૂનો સંબંધ ધરાવતા હોવા છતાં પણ તેમને લગ્નમાં બોલાવવામાં આવી રહ્યાં નથી. સુત્રો પ્રમાણે, બોની કપૂર જેમણો છોકરો વરૂણ ધવન અને તેમના પરિવારના બહુ જ ક્લોઝ છે તેમણે પણ લગ્નમાં ઈન્વાઈટ કરવામાં આવ્યા નથી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, બોની કપૂરના પુત્ર અર્જૂન કપૂરને આમંત્રણ મળ્યું છે. અનિલ કપૂરના પરિવારમાંથી પણ કોઈને બોલાવવામાં આવ્યા નથી. ત્યારે બીજુ બાજુ ફેશન ડિઝાઈનલ મનીષ મલ્હોત્રા જે વરૂણની માતાના સંબંધી છે તેણે આમંત્રણ આપવામાં આવ્યું છે જ્યારે કરણ જોહર અને શશાંક ખેતાનને પણ લગ્નમાં બોલાવવામાં આવ્યા છે. એક શોકિંગ ફેક્ટ એ પણ છે કે અત્યાર સુધી સામે આવેલા ગેસ્ટ લિસ્ટમાં બચ્ચન પરિવારમાંથી એક પણ સદસ્યનું નામ નથી.

આ તમામ ખબરો એક સુત્રો દ્વારા જાણવા મળેલ છે જોકે ગેસ્ટ લિસ્ટ હજુ સામે આવવાનું બાકી છે. નતાશા અને વરૂણ ધવન બન્ને નાનપણના મિત્રો છે અને છેલ્લા ઘણાં વર્ષોથી બન્ને એકબીજાના રિલેશનશીપમાં છે. બન્નેના લગ્ન વર્ષ 2020માં થવાના હતા પરંતુ કોરોના મહામારીને કારણે લગ્ન થઈ શક્યા નહોતા.