આ નાનકડાં ગામમાં લટાર મારશો તો ટેરેસ પર જોવા મળશે પ્લેનનો ઢગલો, જુઓ તસવીરો

આજે અમે એવા એક ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ટાંકી પર કે ટેરેસ પર વિવિધ સ્ટેટ્સ સિમ્બોલ બનાવવામાં આવ્યા છે. જેને જોઈને કોઈપણ વ્યક્તિ તે ઘરનું સ્ટેટ્સ વિશે જાણી શકે છે. અમે જે ગામ વિશે વાત કરી રહ્યા છીએ તે ગામ પંજાબના જલંધરમાં આવેલું છે. સમગ્ર પંજાબમા આ ગામની ચર્ચા થાય છે.

આ નાનકડા ગામનું નામ લેમ્બડા છે. અહીં મોટાભાગના દરેક ઘરના ટેરેસ પર વિશેષ વિમાનની રચના કરવામાં આવી છે. જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્ય મુકાય જાય છે. આ ગામના એક એનઆરઆઈ યુવકના ઘર પર મોટા વિમાનની રચના કરવામાં આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત આ ગામ જ નહીં પંરતુ તેની નજીક આવેલ નૂરમહલ તહસીલ, કપુરથલા, હોશિયારપુર અને દોઆબાના ઉપલા ગામે પણ આવા વિમાન બનાવવામાં આવ્યા છે.

હકીકતમાં પાણીની ટાંકી પર આ પ્રકારની રચના કેટલાક લોકોએ ખાલી શોખ અને સારા દેખાવ માટે બનાવી છે, જ્યારે અમુક લોકોએ તેમની હેસિયત દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આજ કારણ છે કે અહીં રહેતા એક એનઆરઆઈ યુવકે તેના ઘરની ઉપર મોટા વિમાનની રચના કરી છે.અહીં નિવાસ કરતા તરસેમ સિંહ 70 વર્ષ પહેલાં હોંગકોંગની મુલાકાત લેવા માટે ગયા હતા. જ્યાં તેમણે વિમાનથી મુસાફરી કરી હતી અને તેમના પુત્રો સાથેના તેમના અનુભવો વર્ણવ્યા હતા. જેના પછી છત પર વિમાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

અહી ઘણા ઘરોની છત પર વિમાન જોવા મળે છે. આ સિવાય અમુક ઘરો પર માઈ ભાગોની પ્રતિમા પણ બનાવવામાં આવી છે. માઈ ભાગો એક પંજાબી મહિલા હતી. જેણે મુઘલો વિરૂદ્ધ શીખ સૈનિકોનું નેતૃત્વ કર્યું હતું અને મેદાનમાં મુઘલ લોકોને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી માઈ ભાગો શીખ લોકો માટે સંત સમાન બની ગઈ છે.

એક ભાઈએ તેમની ટાંકી પર સિંહની રચના બનાવી હતી અને તેના પર તેમની પ્રતિમા બનાવી હતી. જેના પછી ગામના લોકોએ વિરોધ કરતા કહ્યું હતું કે સિંહ પર ફક્ત દેવી માતા જ બેસી શકે છે. જેના પછી તે ભાઈની રચનને હટાવવામાં આવી હતી. જોકે સિંહની રચના આજે પણ પાણીની ટાંકી પર જોઈ શકાય છે.

આ કરવાનો હેતુ ફક્ત વિમાનમાં રહેવાનું અને તેમાં ઉડાન, તેમજ આ વિમાન જેવા ઓરડાઓ પર એર ઇન્ડિયાના સપનાને સાકાર કરવાનો છે. એવું પણ કહેવામાં આવે છે કે આ સંદર્ભમાં, એનઆરઆઈ દ્વારા અધિકારીઓનો ફોન પણ આવી રહ્યો છે કે એર ઇન્ડિયાને મફતમાં પ્રચાર થઈ રહ્યો છે. તમને એ પણ જણાવી દઈએ કે જાલંધર જિલ્લામાં જ નહીં પરંતુ નૂરમહલ તહસીલના ઉપ્પલા ગામમાં પણ દરેક ઘરની ઉપર વિમાનો દેખાય છે.

મિત્રો આવા વિચિત્ર કાર્યોને કારણે લોકોએ તેને વિમાનવાળા ગામનું નામ આપ્યું છે. તમને જણાવી દઈએ કે આ ગામના રહેવાસી સંતોષસિંહે તેમના ઘર ઉપર વિમાન બનાવ્યું છે. આ વિમાન લગભગ 2 કિલોમીટરના અંતરથી દેખાય છે. અને આજકાલ તે ઘણા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સંતોષ સિંહ હાલમાં ઈંગ્લેન્ડમાં રહે છે અને ત્યાં એક હોટલનો વ્યવસાય કરે છે તેમજ સંતોષ સિંહ એકલા નથી.

પરંતુ પંજાબના કપૂરથલા, હોશિયારપુર, જાલંધર અને દોઆબામાં ઘણા ઘરની પાણીની ટાંકી પર દૂરથી હવાઈ મકાનો દેખાઈ રહ્યા છે, તમને જણાવી દઇએ કે વૈભવી ઓરડાઓ અને પૈસાદાર એનઆરઆઈ કેટલીકવાર તેમના પરિવાર ના સભ્યોને મળવા માટે વિદેશથી ભેગા થવા આવે છે, તે રૂમની સંભાર પણ લે છે, તમે આ વિમાનો સરળતાથી જોઈ શકો છો.મિત્રો તમને જણાવી દઇએ કે હકીકતમાં આ વિમાન પાણીની ટાંકીની ડિઝાઇન છે.

કેટલાંક લોકોએ શોખથી આવી ટાંકીઓ બનાવડાવી છે. તો કેટલાંક લોકોએ પોતાના પરિવારની ઓળખ માટે આવી ટાંકી બનાવડાવી છે તેમજ જેમકે કોઇ પરિવારનો સભ્ય આર્મીમાં છે તો તેના ઘરની છત પર આર્મીની ટેન્ક જોવા મળશે. જો કોઇ એનઆરઆઇ હોય તો તેના ઘરની છત પર વિમાન જોવાં મળશે.

આ ઉપરાંત તમને મહિલા સશક્તિકરણનો સંદેશ આપતી શીખ મહિલા માઇ ભાગોની પ્રતિમા જેવી ટાંકી બનાવામાં આવી છે અને આ ટ્રેન્ડની શરૂઆત આશરે 70 વર્ષ પહેલા બોંગકોંગ ગયેલા તરસેમ સિંહ બબ્બૂએ કરી હતી. તેમણે તેમના ઘરની છત પર વહાણ જેવાી ટાંકી બનાવડાવી છે કારણકે તેઓ વહાણ દ્વારા હોંગકોંગ ગયાં હતાં. તેમણે 1995માં આ ટાંકી બનાવડાવી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે આ ગામમાં મોટાભાગે એનઆરઆઇ રહે છે અને તેમની વચ્ચે પાણીની આવી અલગ-અલગ ટાંકીઓ બનાવડાવવાની હરિફાઇ જામી છે. આ ક્રેઝ આજુબાજુના ગામોમાં પણ જોવા મળી રહ્યો છે પરંતુ પ્રશ્ન એ છે કે આવી ટાંકી બનાવતા નાથ નામના કારીગરે કારીગરી છોડી દીધી છે તેમજ આ ઉપરાંત તમને ગામમાં વહાણ,કમળનું ફૂલ, કાંગારૂ જેવા આકારની વિવિધ ટાંકીઓ જોવા મળે છે.

આ કારણથી આ ગામના લોકો હવે વિમાનવાળા ગામના નામથી જાણે છે. અહીંના રહેવાસી સંતોશ સિંહે તેના ઘર ઉપર એક હવાઇ વિમાન બનાવ્યું છે. અહી વિમાન લગભગ 2 કિ.મી. ના અંતરથી દેખાય છે. 2 કિ.મી. દૂરથી દેખાતુ વિમાન આજકાલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.મિત્રો તમને જણાવી દઇએ કે સંતોષ સિંહ ઇંગ્લેન્ડમાં રહે છે, તેમને હોટેલનો વ્યવસાય છે.

માત્ર સંતોષ સિંહ જ નહીં પણ પંજાબના જલંધર, કપૂરથલા, હોશિયારપુર અને દોઆબા વિસ્તારમાં અનેક ગામના મકાનો પર પાણીની ટાંકી પર હવાઇ વિમાન જોવા મળે છે. આ આલિશાન કોટડીઓમાં એનઆરઆઇ વિદેશીઓ સાથે અનેક વખત તેમના પરિવારોને મળે છે, તેમના છત પર પાણીની ટાંકીઓ પર વિમાન બનેલા છે.

ક્યારેક ક્યારેક પાણી ના ટેન્ક ઉપર મહિલા સશક્તિકરણ ની ઝલક પણ જોવા મળે છે.જ્યારે સિંહ ની પ્રતિમા આ પાણી ના ટેન્ક ઉપર બનાવવામાં આવી ત્યારે ગામના લોકો એ આનો ઘણો વિરોધ કર્યો હતો.હકીકત માં 82 વરસ ના ગુરુદેવ સિંહે પોતાની પ્રતિમા સિંહ ઉપર બનાવી હતી અને આ વાત ઉપર ગ્રામ જનો એ ટિપ્પણી કરી હતી કે ફક્ત દેવી મા જ સિંહ ઉપર બેસી શકે છે. ગુરુદેવસિંહ ની પ્રતિમા તાત્કાલિક ખસેડવામાં આવી હતી પરંતુ સિંહ ની પ્રતિમા હજુ પણ ત્યાંજ છે.આ ગામ સાચે જ દેશ નું સૌથી અનોખું ગામ છે.