અમદાવાદ: તમે ફિલ્મોમાં ક્રાઈમ અને થ્રિલર સ્ટોરી બહુ જોઈ હશે, પણ રીયલમાં એક એવો ધ્રુણાસ્પદ બનાવ સામે આવ્યો છે જે ફિલ્મની વાર્તાને પણ ટક્કર મારે તેવો છે. યુવતીને એક પરિણીત યુવક સાથે અફેર હતું. આ પરણિત યુવકને પતાવવા માટે યુવતીએ અન્ય પ્રેમીનો સાહરો લીધો. યુવતી સાથે ખેતરમાં શરીર સુખ માણતા-માણતા પરિણીત પ્રેમીને મોતને ખાળ ઉતારી દેવામાં આવ્યો. જબરદસ્ત ફિલ્મી પ્લાનિંગ થયેલી આ હત્યાએ બધાને હચમચાવી મૂક્યા છે.
રાજપીપલાના નાંદોદના વાઘેથા ગામનો આ બનાવ છે. આ ગામમાં રહેતી નયના વસાવાને બે સંતાનના પિતા સુનિલ વસાવા સાથે પ્રેમ સંબંધ હતો. પણ નયનાની નજર સુનિલના પૈસા પર પડી હતી. નયનાએ સુનિલના પૈસા પડાવવા માટે અન્ય પ્રેમી જયદિપસિંહ માંગરોલા સાથે ફિલ્મી પ્લાન બનાવ્યો હતો.
વેલેન્ટાઈન દિવસના બીજા દિવસે 15 ફેબ્રુઆરીએ સાંજે 8.30 વાગ્યે ગામની સીમના ખેતરમાં નયનાએ સુનિલને બોલાવ્યો હતો. પ્લાન મુજબ નયનાએ સુનિલને ખેતરમાં લઈ જઈને તેની સાથે શરીર સુખ માણવાનું શરૂ કર્યું હતું. બંને સેક્સમાં મગ્ન હતા ત્યારે પ્લાન મુજબ નયનાનો બીજો પ્રેમી જયદિપ પાછળથી ધસી આવ્યો હતો.
જયદિપે પાછળથી આવીને નયના સાથે શરીર સુખ માણતા સુનિલના માથામાં પથ્થરથી જોરદાર પ્રહાર કર્યો હતો. સુનિલ અર્ધનગ્ન હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. બાદમાં જયદીપે ખિસ્સામાંથી દોરી કાઢીને સુનિલને ગળેટૂંપો થઈને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ખિસ્સામાંથી 650 રૂપિયા કાઢી લીધા હતા.
હત્યા બાદ પુરાવાના નાશ કરવા જયદીપે સુનિલને લાશને ખભા પર નાંખી હતી અને નયનાએ ટેકો આપ્યો હતો. બંનેએ લાશને દોઢ કિલોમિટર દૂર લઈ જઈને કોતરમાં પહેલાંથી ખોદી રાખેલા ખાડામાં નાંખીને દાટી દીધી હતી અને સુનિલના એક્ટિવાને એસી ડેપો પાસે મૂકી દીધુ હતું. જ્યારે એક્ટિવાની ચાવીને ગાર્ડનમાં ફેંકી દીધી હતી. આ ઉપરાંત મોબાઈ સુનિલના મોબાઈલને કરજણ નદીમાં ફેંકી દીધો હતો.
સુનિલ ઘરે નહીં આવતા પત્નીએ કોલ કર્યો હતો, પણ તેનો કોલ પીકઅપ થતો નહોતો. બાદમાં રાત્રે ફોન બંધ થઈ જતા તેના ભાઈ-ભાઈ શોધવા નીકળ્યા હતા. પરિવારજનોની શોધખોળમાં બીજા દિવસે સુનિલનું એક્ટિવા એસટી ડેપો પાસે મળી આવ્યું હતું. સુનિની પત્નીએ ગુમ થયાની જાણ કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. પોલીસની આ ચકાસણીમાં નયના અને જયદીપ એક્ટિવા મૂકીને જતાં જોવા મળ્યા હતા. બાદમાં પોલીસે બંનેની સખ્તાઈથી પૂછપરછ કરતાં હત્યાનો ભાંડો ફૂટ્યો હતો.
આ સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે હત્યારા જયદિપે આ મોડસ ઓપરેન્ડીથી આઠ વર્ષ પહેલાં વડોદરાના માંજલપુરમાં મિત્રની હત્યા કરી હતી. યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ જયદિપ માંગરોલાએ વર્ષ 2012માં મિત્ર ક્રિસીલની હત્યા કરી હતી. કેમ કે યુવતીનો ક્રિસીલ પર વધુ ઝૂકાવ હતો જે જયદિપને પસંદ નહોતો. જયદિપ મિત્ર ક્રિસીલને લાલબાગ સ્થિત તેના ઘરે ફિલ્મ જોવા લઈ ગયો હતો. જ્યાં ક્રિસીલના માથામાં પાટિયુ મારીને તેને ગળેટૂંપો દઈને મારી નાંખ્યો હતો. બાદમાં મોડી રાત્રે ઘરની સામે જમીનમા ખુલ્લા પ્લોટમાં લાશને દાટી દીધી હતી.
બાદમાં તેણે ક્રિસીલનું અપહરણ કર્યાનું જણાવી તેના પરિવાર પાસે 7 લાખની ખંડણી પણ માંગી હતી. જયદિપ ત્યારે સગીર વયનો હોવાથી થોડા સમયમાં છૂટી ગયો હતો. હવે જયદિપે આ જ મોડસ ઓપરેન્ડીથી બીજી હત્યા કરતાં તેના પર ફીટકારની લાગણી વરસી રહી છે.