કોરોના સામે લડવા માટે PM મોદીએ બનાવી છે આ ખાસ વ્યૂહરચના, તબક્કાવાર કોરોનાનો બોલાવાશે ખાત્મો

નવી દિલ્હી: કોરોના વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધની વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે એક મોરચો સંભાળ્યો છે. તે સતત દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. મોદી સરકાર કોરોના વાયરસ સામે લડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. દેશના 32 રાજ્યોમાં કોરોનામાં સંક્રમણ ફેલાયું છે. જે બાદ દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 6 હજારને વટાવી ગઈ છે. જ્યારે 180 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ બધાની વચ્ચે મોદી સરકારે કોરોના રોગચાળાને પહોંચી વળવા ત્રણ તબક્કાની વ્યૂહરચના ઘડી છે. જે જાણવા માટે આંખો આર્ટીકલ વાંચો…

કોવિડ -19 સામેની લડત માટે કેન્દ્ર સરકારે રાજ્યોને એક પેકેજ આપ્યુ છે. આ પેકેજને ઇમર્જન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેરનેસ પેકેજ નામ આપવામાં આવ્યું છે. આ પેકેજ 100% કેન્દ્ર તરફથી ફંડેડ છે. કેન્દ્રની આગાહી છે કે કોવિડ -19 સામેની લડાઈ વધુ લાંબી ચાલશે.

ત્રણ તબક્કામાં લડાશે કોરોના સામે લડાઈ: રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્ર મુજબ, આ પ્રોજેક્ટમાં ત્રણ તબક્કાઓ છે- પ્રથમ તબક્કો જાન્યુઆરી 2020 થી જૂન 2020, બીજો તબક્કો – જુલાઈ 2020 થી માર્ચ 2021 અને ત્રીજો તબક્કો – એપ્રિલ 2021 થી માર્ચ 2024. આ ત્રણ તબક્કામાં કોરોના સામે લડવામાં આવશે.

પ્રથમ તબક્કામાં કોવિડ-19 હોસ્પિટલોને વિકસાવવા, આઇસોલેશન બ્લોક્સ બનાવવા, વેન્ટિલેટર સુવિધાઓનું ICU બનાવવા, PPEs (પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ્સ) – N 95 માસ્ક – વેન્ટિલેટરની ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ કેન્દ્ર અને રાજ્યો સાથે અનેક રાઉન્ડના સંવાદ બાદ સામે આવ્યુ છે. રાજ્ય સરકારો દ્વારા વાયરસ સામે લડવા માટે સતત ખાસ પેકેજની માંગ કરવામાં આવી રહી છે. જે બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને પેકેજ આપ્યું છે.

લેબ નેટવર્ક અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ફંડનો ઉપયોગ સર્વેલન્સ, રોગચાળા સામે જાગૃતિ લાવવા માટે પણ કરવામાં આવશે. ભંડોળનો એક ભાગ હોસ્પિટલો, સરકારી કચેરીઓ, જન સુવિધાઓ અને એમ્બ્યુલન્સને ચેપ મુક્ત બનાવવા માટે પણ ખર્ચ કરવામાં આવશે. બીજા અને ત્રીજા તબક્કામાં શું કરવામાં આવશે તે હજુ જાહેર થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજા અને ત્રીજા તબક્કાના પગલાં આગળની સ્થિતિ પર નિર્ભર રહેશે.

લોકડાઉન વધારવાની રાજ્યોની માંગ: બુધવારે પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠક યોજી હતી. આ પહેલા તેલંગાણા, રાજસ્થાન અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓએ પીએમ મોદીને લોકડાઉનને આગળ વધારવા માંગ કરી હતી. તે જ સમયે, તમામ પક્ષોના નેતાઓએ સર્વપક્ષીય બેઠકમાં પણ તેની માંગ કરી હતી.

ભારતમાં કોરોનાની સ્થિતિ: દેશના 32 રાજ્યોમાં ફેલાયેલા કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 6237 લોકોને ચેપ લાગ્યાં છે. જ્યારે 184 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 569 લોકો સાજા થયા છે. ઇન્દોરમાં આજે કોરોનાથી સંક્રમિત એક ડોક્ટરનું અવસાન થયું છે. આજે મહારાષ્ટ્રમાં 160 નવા કેસ છે. તે જ સમયે, ગજરાતમાં 55 અને રાજસ્થાનમાં 47 નવા દર્દીઓ સામે આવ્યા છે.

તમામ રાજ્યોના સીએમ સાથે વાત કરશે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યા છે. આ બધાની વચ્ચે, તે લોકડાઉન અને કોરોના સામે જંગ વિશે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. આ સાથે, લોકડાઉન અને કોરોના સામે ચાલી રહેલી લડત અંગે નિર્ણય લઈ શકાય છે. નોંધપાત્ર વાત એ છે કે, ભૂતકાળમાં પીએમ મોદી રાજ્યોના સીએમ સાથે બે વાર વાત કરી ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં 1300 કેસ: મહારાષ્ટ્ર કોરોના ચેપથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1300 પર પહોંચી ગઈ છે. જ્યારે 70 લોકોએ જીવ ગુમાવ્યો છે. મુંબઇ શહેરમાં 857 દર્દીઓ છે. આજે ગુરુવારે મુંબઇમાં 143 નવા દર્દીઓ મળી આવ્યા છે.