અબજોનો માલિક અંબાણીના દીકરાઓને નાનપણમાં કેટલાં રૂપિયા વાપરવા મળતા? ક્લિક કરીને જાણો

મુંબઈ: ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણી દુનિયાના 9માં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટ 2020ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીની નેટવર્થ 4.80 લાખ કરોડ રૂપિયા છે. અને વર્ષ 2019માં દર કલાકે મુકેશ અંબાણીએ 7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. દરમિયાન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનો એક જૂનો ઈન્ટરવ્યૂ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણી જણાવ્યું હતું કે તે બાળપણમાં પોતાના ત્રણેય બાળકોને કેટલી પોકેટ મની આપતા હતા.

iDiva એન્ટરટેનમેન્ટ વેબસાઈટને આપેલાં એક ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે તે ઈશા, આકાશ અને અનંતને ફક્ત પાંચ રૂપિયાની પૉકેટ મની આપતાં હતા. નીતા અંબાણીએ એ પણ જણાવ્યું હતું કે કે તે આમ કેમ કરતાં હતા.

નીતા અંબાણીએ કહ્યું, તે આવું એટલાં માટે કરતાં હતા જેથી તેના બાળકો પણ એક સામાન્ય જિંદગી જીવે અને તેમને પૈસાનું મહત્વ ખબર પડે. બાળકો કોઈ પણ પરિવાર સાથે સંબંધ કેમ ન ધરાવતા હોય, પણ તેમને પૈસાના મહત્વની ખબર હોવી જ જોઈએ.

આ ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે એક વખત અનંત તેની પાસે આવ્યો અને કહ્યું કે મમ્મી આજથી મને 10 રૂપિયા આપવાનું રાખજો, કેમ કે સ્કૂલમાં તેને બધા ચીડવે છે. આ અંગે હું પણ કંઈ કરી શકું એમ નહોતી. એટલા માટે મેં બાળકોની પૉકેટ મની વધારી દીધી હતી.

નોંધનીય છે કે અંબાણીની દીકરી ઈશા હંમેશા દાદા-દાદીની લાડલી રહી છે. આ વાતનો ખુલાસો ખુદ મુકેશ અંબાણીના માતા કોકિલાબેને ઈશાની સગાઈ દરમિયાન કર્યો હતો.

કોકિલાબેને કહ્યું હતું કે, ધીરૂભાઈ અંબાણી સવારે ઉઠતી વખતે જ્યાં સુધી ઈશાનો ચહેરો જોઈ નહોતા લેતા ત્યાં સુધી તેમના દિવસની શરૂઆત નહોતી થતી. ધીરૂભાઈ ક્યારેય ઈશાને જોયા વગર ચા પણ નહોતા પીતા. ઈશા અમારા બંનેની ફેવરિટ રહી છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના બંને દીકરી-દીકરા ઈશા અને આકાશના લગ્ન થઈ ચૂક્યા છે. ઈશાના લગ્ન પીરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલના પુત્ર આનંદ સાથે થયા છે, જ્યારે આકાશના લગ્ન હીરાના વેપારી રસેલ મહેતાની દીકરી શ્લોકા સાથે થયા છે.

મીડિયા રિપોર્ટ મુજબ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી પણ ટૂંક સમયમાં લગ્ન બંધનમાં બંધાશે. અનંતના લગ્ન રાધિકા મર્ચેન્ટ સાથે થશે. રાધિકા અવારનવાર અંબાણી ફેમિલીના ફંક્શનમાં નજર આવતી રહે છે.

પતિ મુકેશ અંબાણી સાથે નીતા અંબાણી.