મુંબઈ: કૉમેડિયન કપિલ શર્મા 39 વર્ષના થઈ ગયા છે. 2 એપ્રિલ 1981ના દિવસે અમૃતસરમાં જન્મેલા કપિલ ભલે પોતાની લાઈફમાં પૂરી રીતે સેટલ હોય, પરંતુ તેમની લાઈફ એટલી સરળ નથી રહી. દિકરી અનાયરાના પિતા બની ચુકેલા કપિલ શર્માની લવ સ્ટોરી કોઈ ફિલ્મ લવ સ્ટોરીથી કમ નથી. કપિલને જ્યારે ગિન્ની સાથે પ્રેમ થયો ત્યારે તેના માતા ગિન્નીના ઘરે તેનો હાથ માંગવા ગયા હતા. જો કે ગિન્નીના પપ્પાએ ના પાડી દીધી હતી. જે બાદ કપિલની સ્થિતિ એવી થઈ કે તેણે ખુદ ગિન્ની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જો કે બાદમાં કપિલે જ્યારે દુનિયાભરમાં નામ અને ઈજ્જરત કમાઈ, તો તેમનો પ્રેમ પણ તેમને મળી ગયો.
કેટલાક વર્ષો પહેલા, કપિલ અને ગિન્નીએ પોતાની લવ લાઈફને લઈને ખુલાસો કર્યો હતો. કપિલના પ્રમાણે-મે એચએમવી કૉલેજ, જાલંધરથી અભ્યાસ કર્યો હતો. અને સ્કોલરશિપ મળતી હતી અને થિએટરમાં નેશનલ વિનર હતો. વાત 2005ની છે જ્યારે હું આઈપીજે કૉલેજમાં ભણતો હતો અને પૉકેટમની માટે નાટક ડાયરેક્ટ કરતો હતો. હુ વિદ્યાર્થીઓના ઑડિશન લેવા માટે ગિન્નીની કૉલેજ ગયો. ગિન્ની પણ ઑડિશન આપવા આવી હતી. અહીં અમારી પહેલી મુલાકાત થઈ.
કપિલના કહેવા પ્રમાણે ત્યારે ગિન્ની 19 વર્ષની અને હું 24 વર્ષનો હતો. હું ગિન્નીથી ખૂબ જ ઈમ્પ્રેસ થયો અને મે તેને જ છોકરીઓનું ઑડિશન લેવાનું કહી દીધું. જ્યારે અમે રિહર્સલ શરૂ કર્યું તો તે મારી પાસે જમવાનું લઈને આવવા લાગી. મને લાગ્યું કે, તે મને રિસ્પેક્ટ આપવા માટે બધુ કરી રહી છે.
ગિન્ની પ્રમાણે, કપિલને જોતા જ તે પસંદ કરવા લાગી હતી. આ જ કારણ હતું કે તેના માટે તે જમવાનું લઈ જતી હતી. કપિલના કહેવા પ્રમાણે, એક મિત્રએ તેને કહ્યું કે, ગિન્ની તને લાઈક કરે છે. પરંતુ મને વિશ્વાસ ન થયો. એક દિવસ મે ખુદ જ ગિન્નીને પુછ્યું કે, શું તે મને પસંદ કરે છે, તેનો જવાબ હા હતો.
કપિલના પ્રમાણે, ગિન્ની મારાથી ઈમ્પ્રે્સ્ડ હતી. કારણ કે તેણે મને નાની ઉંમરથી કામ કરતો જોયો છે. અને અમારી વચ્ચે સારી ટ્યૂનિંગ થઈ ગઈ હતી. પછી હું મુંબઈ આવી ગયો લાફ્ટર ચેલેન્જના ઑડિશન માટે. પરંતુ હું રિજેક્ટ થઈ ગયો. મે ગિન્નીને કહ્યું મને ક્યારેય ફોન ન કરીશ.
કપિલના કહેવા પ્રમાણે, મે આ સંબંધ તોડ્યો, કારણ કે તેનું કોઈ ભવિષ્ય નહોતું. તે ફાઈનાન્સિયલી મારા કરતા વધારે મજબૂત હતી અને અમારી કાસ્ટ અલગ હતી. જે બાદ મે ફરી લાફ્ટર ચેલેન્જ માટે ઑડિશન આપ્યું અને હું સિલેક્ટ થઈ ગયો. જે બાદ ગિન્નીએ મને ફોન કરીને અભિનંદન આપ્યા.
કપિલે જણાવ્યું કે, જ્યારે મે કમાવાનું શરૂ કર્યું ત્યારે મારી માતા લગ્નનું પ્રપોઝલ લઈને ગિન્નીના પપ્પા પાસે ગઈ, પરંતું તેમણે ના પાડી દીધી. આ બાદ હું મારા કામમાં વ્યસ્ત થયો અને તે તેની એમબીએમાં.
પછી હું મુંબઈમાં સેટલ થઈ ગયો અને મારી લાઈફ બદલાઈ ગઈ. પછી મને અહેસાસ થયો કે બધુ તો સારું થયું પરંતુ તેણે મને ક્યારેય ડિસ્ટર્બ ન કર્યો. આટલી ધીરજ મે કોઈનામાં નથી જોઈ.
એ પછી જ્યારે તેની લાઈફ ગરબડ ચાલી રહી હતી. ત્યારે નક્કી કર્યું કે આ જ લગ્ન કરવાનો સાચો સમય છે. કપિલે 12 ડિસેમ્બર 2018માં ગિન્ની સાથએ જાલંધરમાં લગ્ન કર્યા હતા.
ગિન્નીના કહેવા પ્રમણા કપિલ ખૂબ જ કેરિંગ છે. તેમના જેવું અન્ય કોઈ નથી અને મને તેના કરતા સારું કોઈ મળી જ ન શકેત.