સલમાન ખાનની આ એક્ટ્રસે જણાવ્યું કેમ કે, છોડી દીધું બોલિવૂડ?

90ના દશકમાં પોતાની અદાથી દરેકને દિવાના કરનારી એક્ટ્રસ આયશા જુલ્કા ફરી એકવાર ચર્ચામાં છે. બોલિવૂીડની ઘણી ફિલ્મ્સ અને ટોલિવૂડમાં કામ કરનારી એક્ટ્રસ આયશાએ હાલમાં જ તેના પોતાના કરિયર અને પર્સનલ લાઇફ અંગે વાત કરી હતી. તેમણે આ દરમિયાન જણાવ્યું કે, કેમ તેમણે પોતાના કરિયરના પિક પર એક્ટિંગ છોડી ઘર વસાવી લીધું હતું. એટલું જ નહીં તે વાતનો પણ ખુલાસો કર્યો કે, લગ્નના 17 વર્ષ પછી પણ તે મા કેમ બની શકી નથી. ઉલ્લેખનીય છે કે, આયશાએ વર્ષ 1991માં આવેલી ફિલ્મ ‘કુર્બાન’થી સલમાન ખાન સાથે ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ હિટ રહી હતી અને તેમને બોલિવૂડમાં પણ ઓળખ મળી હતી. આ પછી મંસૂર ખાનના ડિરેક્શનમાં બનેલી ‘જો જીતા વહી સિકંદર’માં આમિર ખાનની ઓપોઝિટ દેખાઈ હતી.

48 વર્ષની આયશાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની જિંદગી સાથે જોડાયેલાં ઘણાં રાઝ ખોલ્યા હતાં. આયશાએ જણાવ્યું હતું કે, ઓછી ઉંમરમાં ફિલ્મોમાં કામ શરૂ કરી દીઘું હતું એટલે તે નોર્મલ લાઇફ જીવવા માગતી હતી અને તેમણે તેને એન્જોય પણ કરી. તેમનું માનવું છે કે, બોલિવૂડથી દૂર રહેવાનો તેમનો નિર્ણય સાચો હતો.

મા બનવા અંગેના નિર્ણય પર આયશાએ કહ્યું હતું કે, ‘મારે બાળકો નથી કેમ કે, બાળકો ઇચ્છતી નહોતી. હું મારા કામ અને સોશિયલ વર્કમાં ખૂબ સમય અને એનર્જીનો ઉપયોગ કરું છું અને હું ખુશ છું કે, આખા પરિવારે આ નિર્ણયનો સ્વીકાર કર્યો છે.’

આયશાએ પોતાના પતિના વખાણ કરતાં કહ્યું કે, ‘તે ખૂબ જ સારા વ્યક્તિ છે અને તેમણે તેમના દરેક નિર્ણયોનું સમર્થન કર્યું છે.’ ઉલ્લેખનીય છે કે, આયશાએ વર્ષ 2003માં કન્સ્ટ્રક્શન ટાઇકૂન સમીન વાશિ સાથે લગ્ન કર્યાં હતાં.

આયશાએ તે ફિલ્મો વિશે પણ જણાવ્યું જે તેમને પહેલાં રિજેક્ટ કરી દીધી પણ, તેનો અફસોસ થયો. તેમણે કહ્યું કે, ‘એવી ઘણી ફિલ્મો છે જે તેમણે કરી નહીં.’

તેમણે પોતાના વ્યસ્ત શેડ્યૂલને લીધે મણિરત્નમની ફિલ્મ ‘રોઝા’ છોડી દીધી અને તેમણે તેનો અફસોસ પણ છે. તો બીજી ફિલ્મ રામા નાયડૂની ‘પ્રેમ કેદી’ એટલે છોડી હતી કે, કેમ કે મેકર્સ બિકીનીમાં તેમને જોવા માગતાં હતાં.

ઉલ્લેખનીય છે કે, આયશાએ વર્ષ 1992માં ફિલ્મ ‘ખેલાડી’માં કામ કર્યું હતું. જેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળી હતી. ફિલ્મ જબરદસ્ત હિટ થઈ અને બંને રાતોરાત સુપરસ્ટાર બની ગયાં હતાં. બંનેની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. બંનેની ઓન સ્ક્રીન જોડી ઓફ સ્ક્રીન પણ જોવા મળતી હતી. થોડા સમય સુધી બંને પોતાના સંબંધને લીધે ચર્ચામાં રહ્યા પણ આ સંબંધ વધારે દિવસ સુધી ટક્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

આયશા ફિલ્મોથી દૂર ગુમનામ જિંદગી જીવી રહી છે, છતાં તે કરોડો રૂપિયા કમાય છે. આયશા ફિલ્મો છોડ્યા પછી બિઝનેસની દુનિયામાં આવી ગઈ હતી. જ્યાં નામની સાથે રૂપિયા પણ કમાઈ રહી છે. આજે આયશા કરોડો રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે.

આયશા અત્યારે એક મોટી કન્સ્ટ્રક્શન કંપની સંભાળી રહી છે. જેનું નામ સેમરૉક ડેવલપર્સ છે, તેમણે પોતાના પતિ સમીર વાશી સાથે શરૂ કરી હતી. આ કંપની દ્વારા તે મુંબઈથી ગુજરાતમાં ઘણાં રેસિડેન્સ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ બનાવી ચૂકી છે. આ સાથે જ તેમનો ગોવામાં પણ એક રિસોર્ટ ચાલે છે. આ ઉપરાંત મુંબઈમાં પણ અનંતા નામથી તેમનો એક પોતાનો સ્પા બિઝનેસ છે.

આયશા એક સારી ડિઝાઈનર પણ છે. તેમની એડિશન્સ નામની એક ક્લોથિંગ લાઇન પણ છે. આ દરેક બિઝનેસને ભેગા કરવામાં આવે તો, તેમનું વાર્ષિક ટર્નઓવર અરબો રૂપિયામાં છે.

આયશાનો જન્મ શ્રીનગરમાં થયો હતો. તે ઇન્ડસ્ટ્રીમાં પોતાના સમયની જાણિતી એક્ટ્રસ હતી. તેમણે બોલિવૂડ ઉપરાંત, ઉડિયા, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે ‘કુર્બાન’, ‘જો જીતા વહીં સિકંદર’, ‘ખિલાડી’, ‘મહેરબાન’, ‘દલાલ’, ‘બલમા’, ‘વક્ત હમારા હૈ’, ‘રંગ’, ‘સંગ્રામ’ અને ‘માસૂમ’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.