‘પવિત્ર રિશ્તા’ ફેમ અભિનેત્રીની સોસાયટીમાં મળ્યો કોરોના પોઝિટિવ દર્દી, જાણો પછી શું થયું?

મુંબઈ: કોરોના વાયરસ તેજીથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. જેને રોકવા માટે ભારત સરકાર દેશભરમાં લોકડાઉન કર્યું છે. જોકે તેમ છતાં દેશમાં કોરોનાના 4 હજાર કરતા વધુ કેસ સામે આવી ચુક્યા છે. એવામાં તેના પર કાબૂ મેળવવા માટે સરકાર તમામ સંભવ પ્રયાસો કરી રહી છે. એ વચ્ચે ખબરો આવી રહી છે કે ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ ફેમ અભિનેત્રી અંકિતા લોખંડેના અપાર્ટમેન્ટને સીલ કરી દેવામાં આવ્યું છે. તેના અપાર્ટમેન્ટમાં એક શખ્સને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

અંકિતા લોખંડેની સોસાયટીમાં કોરોનાનો દર્દી
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જે એપોર્ટમેન્ટમાં અંકિતા રહે છે, ત્યાં એક શખ્સને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે આખા અપાર્ટમેન્ટને સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અપાર્ટમેન્ટ ઘણી જાણીતી હસ્તીઓ રહે છે. જેમાં આશિતા ધવન, નતાશા શર્મા, મિશ્કત વર્માનો સમાવેશ થાય છે.

સ્પેન ગયો હતો શખ્સ
જે શખ્સને કોરોના પોઝિટિવ આવ્યો છે તે સ્પેનથી ભારત આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, એરપોર્ટ પર તે કોરોના નેગેટિવ આવ્યો હતો. 12માં દિવસે તેનામાં કોરોનાના લક્ષણો દેખાવાનું શરૂ થયું. રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે તેના કારણે બીજા લોકોમાં પણ કોરોના ફેલાવાનો ડર હતો, પરંતુ તમામના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. સાવધાની માટે અપાર્ટમેન્ટને સીલ કરી દેવામાં આવ્યું છે. અપાર્ટમેન્ટની બહાર પોલીસ પણ તહેનાત કરી દેવામાં આવી છે. જેથી કોઈ બહાર ન નીકળી શકે.

જણાવી દઈએ કે, આ ખબરની પુષ્ટિ અભિનેત્રી આશિતા ધવને કરી છે. તેણે મીડિયા સાથે વાત કરી હતી. તે કહે છે કે આ સાચું છે કે તેમની વિંગમાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે અને હાલ તે ક્વોરેન્ટાઈનમાં છે. તેમણે મુંબઈ પોલીસ અને બીએમસીના વખાણ કર્યાં હતાં. તેનું કહેવું છે કે તેઓ ઘણી મદદ કરી રહ્યા છે.