નટુકાકાના અંતિમ સંસ્કારમાં દીકરીઓ ભાંગી પડી, બાધાએ આ રીતે સંભાળી

મુંબઈ: ‘તારક મહેતા’માં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું ત્રીજી ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નટુકાકાના અંતિમસંસ્કાર આજે, એટલે કે ચોથી ઓક્ટોબરના રોજ સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નટુકાકાની કેન્સરની સારવાર સૂચક હોસ્પિટલમાં ચાલતી હતી. તેમને અહીં જ એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્રીજી ઓક્ટોબરના રોજ સાંજે સાડાપાંચ વાગે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

ઘનશ્યામ નાયકનું અવસાન થતાં તેમની લાડલી દીકરી ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી. સ્મશાનમાં નટુકાકાના અંતિમ સંસ્કાર કરાતાં જ લાડલી દીકરી ભાગી પડી હતી અને બધાંની સામે જ રડી પડી હતી , ત્યારે આ ભાવુક દ્રશ્ય જોનારાઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ સમયે પાક્કા મિત્ર બાઘાએ નટુકાકાની દીકરી સંભાળી હતી.

ભવ્ય ગાંધી (જૂનો ટપુડો), સમય શાહ (ગોગી) તથા સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી નટુકાકાના ઘરે ગયા હતા. અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં કરવામાં આવ્યા હતા. અહીંયા જેઠાલાલ (દિલીપ જોષી), અસિત મોદી, બાઘા (તન્મય વેકરિયા), બબિતા (મુનમુન દત્તા), ચંપકચાચા (અમિત ભટ્ટ) જોવા મળ્યા હતા.

નટુકાકાની અંતિમ યાત્રા સવારે તેમના મલાડ સ્થિત ઘરેથી નીકળી હતી ત્યાર બાદ કાંદિવલીના દહાનુકર વાડીમાં ઈલેક્ટ્રિક સ્માશનમાં અંતિમ સંસ્કારમાં કરવામાં આવશે. નટુકાકના અવસાનથી પરિવારજો પણ રડી પડ્યા હતાં. આ ઉપરાંત નટુકાકાના અવસારનથી બાગાને મોટો આઘાત લાગ્યો હતો અને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો હતો.

ઘનશ્યામ નાયકે થોડાં મહિના પહેલાં ગુજરાતની નેચરલ ફર્ટિલાઇઝર કંપનીની જાહેરાતમાં કામ કર્યું હતું. આ જાહેરાત ઘનશ્યામ નાયકની છેલ્લી જાહેરાત હતી. નટુકાકાએ છેલ્લીવાર કેમેરા સામે એક્ટિંગ કરી હતી.