અમિતાભ બચ્ચનના આ ‘દસ દરવાજાવાળા બંગલા’ની ખાસિયતો જાણીને લાગશે નવાઈ!

પ્રયાગરાજઃ પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદની ઓળખ આમ તો ધાર્મિક પ્રવાસન તરીકે છે પરંતુ સાહિત્ય-સંસ્કૃતિ સહિત સિનેમામાં પણ બે હસ્તીઓએ પ્રયાગરાજને આગવી ઓળખ આપી છે. સ્વ. નરગીસ તથા અમિતાભ બચ્ચન અહીંયાના જ છે.


કોઈ પણ શહેર પોતાની વિભૂતિઓથી ઓળખાય છે. તેમની સાથે જોડાયેલી જગ્યાને ક્યારેય લોકો ભૂલતા નથી. વિદેશોમાં આવી હસ્તીઓના મકાનને મ્યૂઝિયમની જેમ સાચવવામાં આવે છે. જોકે, અમિતાભનું જન્મસ્થળ ક્લાઈવ રોડ સ્થિત બંગલો હજી સુધી પર્યટન વિભાગને દેખાયો નથી.


પર્યટકો તો દૂર નવી-જની પેઢીના તમામ લોકોને પણ ખ્યાલ નહીં હોય કે ક્લાઈ રોડનો 17 નંબરનો બંગલો અમિતાભ બચ્ચનું જન્મસ્થળ તથા સ્વ. હરિવંશ રાય બચ્ચનનું કર્મસ્થળ છે. નગર નિગમના અભિયાંતી ભાર્ગવે 10 વીઘામાં આ બંગલો બનાવ્યો હતો. જોકે, તેમણે બંગલો મહાનિર્વાણી અખાડાને વેચ્યો હતો. ત્યારે તેમાં 13 ભાડુઆત રહેતા હતાં, જેમાંથી એક હરિવંશરાય બચ્ચન પણ હતાં. બચ્ચને તે સમયે ત્રણ રૂમના સાત રૂપિયા ભાડુ આપતા હતાં. પાંચ દરવાજા, ત્રણ બારીઓ અને બે વેન્ટિલેટર આમ આ બંગલો ‘દસ દરવાજાવાળો બંગલો’ કહેવામાં આવે છે. 1958માં દિલ્હી ગયા તે પહેલાં આઠથી નવ વર્ષ સુધી અહીંયા રહ્યાં હતાં.


વાસ્તુના નિયમોથી બનેલા આ બંગલાનું નામ ‘સૂર્યભેદી ભવન’ પણ કહેવામાં આવે છે, કારણ કે આના દરેક રૂમમાં સૂર્યના કિરણો સીધા પડે છે. મુખ્ય દ્વાર તથા પાછળનો દરવાજો એક જ લાઈનમાં છે. ઘરની બહાર લોન, પ્રકાશ માટે લેમ્પ પોસ્ટ, બંને બાજુ ગાર્ડન તથા શાનદાર કિચનની સાથે બંગલામાં 30 રૂમ છે. આગળ તથા પાછળના ભાગમાં ખુલ્લી જગ્યા છે. હાલમાં આ બંગલાની દેખરેખ શ્રી શંકર ઈન્દુ તિવારી પ્રસાર ન્યાસના હસ્તક છે. આ બંગલાને લઈ અમિતાભ બચ્ચન સાથે વિવાદ ચાલે છે.

અહીંયા સ્વ. પૃથ્વીરાજ કપૂર, હેમામાલિની આવ્યા હતાં: ક્લાઈવ રોડના બંગલામાં રહીને અમિતાભ તથા અજીતાભે અભ્યાસ કર્યો હતો. અહીંયા પૃથ્વીરાજ કપૂર, નિરાલા, મહાદેવી, અમૃતલાલ નાગરથી લઈને કમલાપતિ ત્રિપાઠી, અરૂણ ગોવિલ, હેમામાલિની પણ આવી ચૂક્યા હતાં. લોનમાં પરિમલની ગોષ્ઠીઓ થતી હતી. તો ભારતીની વાર્તા ‘ગુલ કી બન્નો’નું પ્રથમ વાંચન અહીંયા થયું હતું.

નરગિસની હવેલીથી પણ તમામ લોકો અજાણ્યાઃ જૂના સમયની દેશની તવાયફો માટે કળા-સંસ્કૃતિ, તહઝીબ, રવાયત શીખવાનું કેન્દ્ર રહેલું મેજાનું ચિલબિલા ગામ, આજે ઈતિહાસના પાનાઓમાં જ છએ. આ ગામમાં નરગીસનો જન્મ થયો અને તે મોટી થઈ. અહીંયા તેમની હવેલી હતી પરંતુ આજે તે ખંડેર બની ગઈ છે. હવે તો બસ તૂટેલી દીવાલો જ બચી છે. હેવીલાના દરવાજા પર નરગીસ તથા જદ્દનબાઈના નામો નામશેષ થઈ ગયા છે. ચિલાબિલા તરફ જતા રસ્તા પર નરગીસની ના કોઈ ઓળખ છે ના તો કોઈ સંકેત.