રેખા તો વિધવા છે, તો સુહાગનની જેમ સેંથામાં કોના નામનું પૂરે છે સિંદૂર? શું છે તેની પાછળનું રહસ્ય?

મુંબઈઃ 10 ઓક્ટોબરના રોજ રેખાનો જન્મદિવસ છે. રેખા આજે પણ રહસ્યમય એક્ટ્રેસ છે. રેખાના જીવન અંગે ભાગ્યે જ ચાહકોને વધુ માહિતી છે. રેખાની પડદા પાછળની દુનિયા વિષે ઘણાં જ ઓછા લોકોને ખબર છે. રેખાના લગ્ન થયા પરંતુ તેને પતિનું સુખ મળ્યુ છે. રેખાના પતિ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી લીધી હતી. રેખા વિધવા છે. એવી પણ ચર્ચા હતી કે રેખાએ વિનોદ મહેરા સાથે લગ્ન કર્યા હતાં પરંતુ આને માત્ર અફવા કહેવામાં આવે છે. રેખાને હંમેશા સાચા પ્રેમની શોધ રહી છે.

આજે અમે તમને રેખાના એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ છીએ જેને લઈ તમામ ચાહકો જાણવા માગે છે. રેખા વિધવા હોવા છતાં સેંથામાં સિંદૂર કોના નામનું પૂરું છે. રેખા જ્યારે પણ બહાર નીકળે ત્યારે તેના સેંથામાં સિંદૂર હોય જ છે.

થોડાં સમય પહેલાં રેખાની બાયોગ્રાફી રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં તેના જીવનની વાત કરવામાં આવી હતી. આ પુસ્તક યાસીર ઉસ્માને લખ્યું છે. બુક લોન્ચિંગ સમયે એ ચર્ચા વાયરલ થઈ હતી કે સંજય દત્તના નામનું સિંદૂર રેખા લગાવે છે. આ સમાચાર વાયરલ થતાં યાસીરે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ વાત ખોટી છે. તેમણે પુસ્તકમાં આ વાતનો ક્યાંય ઉલ્લેખ જ કર્યો નથી. લોકોએ યોગ્ય રીતે બુક વાંચી નથી. યાસીરે કહ્યું હતું કે સંજય દત્ત તથા રેખાના અફેરની અફવા લઈને કિસ્સો ટાંકવાાં આવ્યો છે.

રેખા તથા સંજય 1984માં આવેલી ફિલ્મ ‘જમીન આસામાન’માં સાથે જોવા મળ્યાં હતાં. શૂટિંગ દરમિયાન બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થવા લાગી હતી. બંનેએ લગ્ન કર્યા હોવાની વાત પણ થતી હતી. જોકે, સંજય દત્તે ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેની તથા રેખાની વચ્ચે કંઇ જ નથી.

યાસીરે પણ સ્પષ્ટતા કરી હતી કે સંજય તથા રેખાએ ક્યારેય લગ્ન કર્યા નહોતા. સંજય દત્તનું અંગત જીવન મુશ્કેલીમાંથી પસાર થતું હતું અને રેખા માત્ર તેને મદદ કરતી હતી.

અમિતાભના નામનું સિંદૂર લગાવે છેઃ પુનિત ઈસ્સારની પત્નીએ દાવો કર્યો હતો કે રેખા સેંથામાં અમિતાભ બચ્ચનના નામનું સિંદૂર લગાવે છે. ઉલ્લેખનીય છે કે એક સમયે રેખા તથા અમિતાભ બચ્ચન લવ અફેર હતું અને બંને લગ્ન કરવાનું વિચારતા પણ હતાં.