સુહાગરાતે જ પતિને ખબર પડી કે પત્ની છે કિન્નર, પછી ભર્યું આવું આક્રમક પગલું

‘મારા મમ્મી પપ્પાની કોઈ ભૂલ નથી. મારી પત્નીએ મને માર્યો છે, આથી જ હું મરું છું. જે લોકોને ફસાવવું હોય તે મારી પત્નીની જાળમાં ફસાય, કારણ કે હું આ સ્ત્રીને કારણે જ મરું છું.’ આટલું કહીને 25 વર્ષીય ભૂપેન્દ્રે ઘરમાં ગળેફાંસો ખાધો હતો. તેણે સો.મીડિયામાં પોતાને માર માર્યો હોય તેવી તસવીરો પણ શૅર કરી હતી.

ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના ચકરનગરના ગામ પિપરોલી ગઢિયામાં રહેતા 25 વર્ષીય ભૂપેન્દ્રના લગ્ન ચાર વર્ષ પહેલાં મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાના રૂતવા મોહમાં રહેતી મૂર્તિ સાથે થયા હતા. જોકે, લગ્નના થોડા સમય પહેલાં સાસરીયાનો આક્ષેપ હતો કે મૂર્તિ કિન્નર છે. તો પતિનો આરોપ હતો કે લગ્ન બાદ તેની સાથે મારપીટ કરતી હતી. પતિએ પત્નીના નામનું ટેટુ પણ છાતી પર ત્રોફાવ્યું હતું.

કિન્નર વહુને કારણે ભૂપેન્દ્રના સાસરીયાએ બીજી દીકરી સાથે લગ્ન કરાવવાનું વચન આપ્યું હતું. ભૂપેન્દ્ર કિન્નર પત્નીને લઈ ગુજરાત જતો રહ્યો હતો. તે થોડાં દિવસ પહેલાં જ પરત ફર્યો હતો અને પત્નીને પિયર લઈને ગયો હતો.

અહીંયા ભૂપેન્દ્રે સાળી સાથે લગ્ન કરાવવાનું કહ્યું હતું. આ વાત સાંભળ્યા બાદ ભૂપેન્દ્રના સાસરીયાઓએ તેને માર માર્યો હતો અને ત્રણ દિવસ સુધી રૂમમાં બંધ કરીને માર્યો હતો. પત્નીએ પણ મારપીટ કરી હતી. માંડ માંડ તે બચીને ત્યાંથી નીકળ્યો હતો.

ઘરે આવ્યા બાદ ભૂપેન્દ્ર એ હદે દુઃખી થયો કે તેણે રૂમમાં ગળેફાંસો ખાધો હતો. પરિવારે પોલીસને માહિતી આપી હતી. કહેવાય છે કે સુસાઇડ નોટ પહેલાં ભૂપેન્દ્રે છાતી પર ત્રોફાવેલું ટેટૂ ચાકુથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. ભૂપેન્દ્રે સો.મીડિયામાં સુસાઇડ નોટ લખી હતી.