આખરે કેમ નેહા કક્કડ તથા આદિત્ય નારાયણના ના થયા લગ્ન, હવે છેક સામે આવ્યું કારણ

મુંબઈઃ ‘ઇન્ડિયન આઇડલ’ની સીઝન 11 તો પૂર્ણ થઇ ગઇ છે પરંતુ નેહા કક્કડ અને આદિત્ય નારાયણને લઇને સસ્પેન્સ હજુ યથાવત છે. શો દરમિયાન જ નેહા અને આદિત્ય વચ્ચે કેમિસ્ટ્રી દેખાઇ હતી, તેને લઇને અનેક અટકળો સામે આવી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને લગ્ન કરવાના છે. હવે લગ્ન તો નથી થયા પરંતુ શોના વિજેતા સની હિન્દુસ્તાનીએ મોટો ખુલાસો કર્યો છે.

સની હિન્દુસ્તાનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લોકો નેહા અને આદિત્યના લગ્નને લઇને ખુબ જ એક્સાઇટેડ છે. તેઓ પણ બંનેના લગ્નને લઇને ખુબ જ ખુશ હતા. તેમણે તો લગ્નના કપડા પણ ખરીદી લીધા હતા, કન્યા હા પાડશે કે કેમ એ જાણ્યા વગર તેઓ જાન લઇને પણ આવી ગયા હતા.

સની હિન્દુસ્તાની નેહા અને આદિત્યના લગ્ન ના થવાને કારણે દુઃખી છે. તે ઇચ્છે છે કે નેહા દીદીએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં, જેના કારણે લગ્ન થઇ શક્યા નથી.

ઉલ્લેખનીય છે કે ‘ઇન્ડિયન આઇડલ’ દરમિયાન નેહા અને આદિત્ય વચ્ચે ખુબ જ કેમિસ્ટ્રી જોવા મળતી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને એકબીજાને પ્રેમ પણ કરે છે. પરંતુ બાદમાં સમાચાર સામે આવ્યા કે આ બધુ ટીઆરપી માટે થઇ રહ્યું હતું.

લગ્નના આ સસ્પેન્સમાં વધારો કરવામાં સિંગર આદિત્યના પિતા ઉદિત નારાયણનો પણ મોટો હાથ છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે આદિત્ય નેહા સાથે લગ્ન કરી લે. સિંગરે કહ્યું હતું કે તેમણે અનેક વખત આદિત્યને કહ્યું કે તે નેહા સાથે લગ્ન કરી લે. તે તેમની વાત સાંભળતો જ નહોતો.

ઉદિત નારાયણની તો ઇચ્છા હતી પરંતુ આદિત્યએ ખુદ જાહેરાત કરી દીધી હતી કે તેનો અને નેહાનો પ્રેમ માત્ર ટીઆરપી માટે જ હતો.

ઉલ્લેખનીય છે કે નેહા કક્કડે મોટો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આદિત્ય નારાયણ ટૂંક સમયમાં જ પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનો છે. એવામાં સની હિન્દુસ્તાનીનું આ નિવેદન હેરાન કરનારું છે.