એક સમયે ગાર્ડે અક્ષય કુમારને ખંડેર બંગલામાં ઘૂસવા પણ નહોતો દીધો ત્યાં જ અક્ષયે બનાવ્યો લક્ઝૂરિયસ બંગલો

આખો દેશ અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોનાના કારણે લોકો ડરેલા છે. જોકે કોરોના પીડિતોની મદદ માટે સેલેબ્સ આગળ આવ્યાં છે અને તેમણે કરોડો રૂપિયા દાનમાં આપ્યા છે. અક્ષય કુમારે પણ પીડિતો માટે 25 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર અક્ષયના એવા ઘણા કિસ્સાઓ છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેમના જીવન સાથે સંકળાયેલ આવો જ એક કિસ્સો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. સંઘર્ષના સમયમાં જ્યારે અક્ષય પાસે બિલકુલ પૈસા નહોંતા, તે સમયનો આ કિસ્સો અત્યારે બહુ વાયરલ બન્યો છે. અક્ષય અત્યારે તેના બંગલામાં ફેમિલી સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યો છે.

સ્ટ્રગલિંગ સમયમાં અક્ષય કુમારને ફોટોશૂટ કરાવવું હતું. રિપોર્ટ્સ અનુસાર તે સમયે અક્ષય કુમાર પાસે ફોટોગ્રાફરને આપવાના પૈસા પણ નહોંતા. એટલે તેણે ફોટોગ્રાફરને કહ્યું હતું કે, તે તેમના આસિસ્ટન્ટ તરીકે કામ કરશે અને તેના બદલામાં મળેલી સેલરીને ફોટોશૂટની રકમ સમજે. શૂટ માટે બંને જુહીના એક જૂના બંગલામાં ગયા હતા.

બંગલાના ગાર્ડે તેમને અંદર ઘૂસવા જ ન દીધા અને ભગાડી મૂક્યા. ત્યારબાદ અક્ષયે બંગલાની દિવાલ પર શૂટ કર્યું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, સફળતા મળ્યા બાદ અક્ષયે એ પ્રોપર્ટી ખરીદી લીધી. હવે અક્ષયનો વૈભવી બંગાલો અહીં જ છે.

અક્ષય કુમારે બે વર્ષ પહેલાં અંધેરી, મુંબઈમાં એક નવું ઘર ખરીધ્યું હતું. આ ઘરની કિંમત લગભગ અઢાર કરોડ રૂપિયા છે. આ ઘર એકવીસમા માળે છે. અક્ષયે માત્ર એક ફ્લેટ નહીં પરંતુ આખો ફ્લોર પોતાના નામે કરી દીધો છે. એકજ ફ્લોર પર ચાર ફ્લેટ ખરીધ્યા છે. 7974 સ્ક્વેયર ફિટમાં ફેલાયેલ આ ઘરના એક ફ્લેટની કિંમત 4.50 કરોડ રૂપિયા છે. ફ્લેટમાં સ્વિમિંગ પૂલ, જોગિંગ ટ્રેક, ફિટનેસ સેન્ટર સહિતની બધી જ સુવિધાઓ છે.

અક્ષય કુમારે વેટર, શેફથી લઈને માર્શલ આર્ટ ટ્રેનર સુધીનાં ઘણાં કામ કર્યાં છે. બોલિવૂડમાં અક્ષયના કોઇ ગોડ ફાધર નથી. અક્ષયને આ જગ્યા સુધી પહોંચવામાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.

અક્ષયે એક ચેટ શોમાં જણાવ્યું હતું કે, સંઘર્ષના દિવસોમાં તે રાજેશ ખન્ના પાસે કામ માંગવા ગયા હતા. તે સમયે રાજેશ ખન્ના પાસે તેમના લાયક કોઇ કામ નહોંતું, એટલે અક્ષય કુમારે ખાલી હાથે જ પાછા ફરવું પડ્યું હતું. પછીથી અક્ષય સફળ થયા અને રાજેશ ખન્નાની દીકરી ટ્વિંકલ ખન્ના અત્યારે તેમની પત્ની છે. અક્ષય કુમાર જણાવે છે કે, તેમણે સપનામાં પણ આવું વિચાર્યું નહોંતુ.

એક ચેટ શોમાં અક્ષય કુમારને પૂછવામાં આવ્યું કે, બાળપણમાં તેમને કોઇનાથી પ્રેમ થયો હતો, તો અક્ષયે જવાબમાં હા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બાળપણમાં તે ચોક્કસથી પ્રેમમાં પડ્યા હતા. દરેકને તેમનો પહેલો પ્રેમ તેમના ટીચરમાં જ દેખાય છે. મારી સાથે પણ આમ જ થયું હતું.

વર્કફ્રંટની વાત કરવામાં આવે તો અક્ષય કુમાર બચ્ચન પાંડે, પૃથ્વીરાજ, સૂર્યવંશી જેવી ફિલ્મોમાં જોવા મળશે. તો ટ્વિંકલ ફિલ્મોથી દૂર રહે છે. તે કોલમ રાઇટર અને પ્રોડ્યૂસર છે. એક્ટ્રેસ ઘણીવાર દેશના ચર્ચામાં છવાયેલા મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય જણાવે છે.