‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ એક્ટ્રેસને પતિ બેલ્ટથી ઝૂડી નાખતો ને અનેક વાર તોડી નાખી હતી આંગળી

ટીવી એક્ટ્રસ દિવ્યા ભટનાગરના મોત પછી તેમના પતિ ગગન નારંગ ખૂબ જ વિવાદમાં આવી ગયા છે. ગયા વર્ષે પરિવાર વિરુદ્ધ જઈ લગ્ન કર્યા અને પછી પતિ ગગન સાથે સંબંધ ખરાબ થવાને લીધે તે ખૂબ જ હેરાન રહેતી હતી. દિવ્યાના ભાઈ દેવ ભટનાગરે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે પોતાની બહેનના વૉટ્સએપ ચેટના સ્ક્રીનશૉટ શેર કર્યાં છે. જે ખૂબ જ ચોંકાવનારા છે.

દિવ્યાના ભાઈએ સ્ક્રીનશૉટ શેર કર્યો છે, જેમાં તેમની બહેન કોઈને પતિ દ્વારા કરવામાં આવતી મારઝૂડ વિશે જણાવી રહી છે.

એટલું જ નહીં દિવ્યા કહે છે કે, તેમને ધમકાવીને ગગને લગ્ન કર્યાં હતાં. જોકે આ સ્ક્રીનશૉટની પુષ્ટિ થઈ નથી.

દેવ ભટનાગરે ચેટ શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘કદાચ મને પહેલાંથી આ વિશે જાણ હોત. તેમણે લખ્યું જો મને આ વાત પહેલાં ખબર હોત તો હું કહેત કે પોતાના માટે ઊભી થઈ જાવ.’

ગયાં વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યાં હતાં. આ લગ્ન દિવ્યાએ પોતાના પરિવાર વિરુદ્ધ જઈને કર્યાં હતાં. કહેવામાં આવે છે કે, દિવ્યાના લગ્નમાં ખૂબ જ ઓછા લોકો સામેલ થયાં હતાં.

છેલ્લાં કેટલાક દિવસો પહેલાં એક્ટ્રસ દેવોલીના ભટ્ટચાર્જીએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી ખુલાસો કર્યો હતો કે, દિવ્યા પોતાની પર્સનલ લાઇફમાં ખૂબ જ હેરાન હતી.

ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્યે સોશિયલ મીડિયામાં દિવ્યા ભટનાગરની વ્હોટ્સએપ ચેટ શૅર કરી હતી. આ ચેટમાં દિવ્યાએ પોતાના પતિ અંગે વાત કરી હતી. દિવ્યાએ ચેટમાં કહ્યું હતું કે લગ્ન બાદ તેના પતિએ તેને સ્પર્શ કર્યો નહોતો. તેને કોઈ જાતનું શારીરિક સુખ આપ્યું નહોતું. આટલું જ નહીં પરિણીત હોવા છતાંય તે બધાને અપરિણીત હોવાનું જ કહેતો હતો. તેણે સોશિયલ મીડિયામાંથી લગ્નની તસવીરો પણ ડિલિટ કરી નાખી હતી. દેવોલીનાએ દિવ્યાને કેટલી ગંભીર રીતે માર માર્યો હતો, તેની તસવીર પણ શૅર કરી હતી.