આ સુપરહિટ અભિનેત્રીએ પોતાની પર્સનલ લાઈફને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, સાંભળીને ચોંકી જશો

કરિશ્મા કપૂર ડિજીટલ પ્લેટફોર્મ પર ફિલ્મ મેંટરહૂડથી ડેબ્યૂ કરવા માટે જઈ રહી છે. તે લાંબા સમયથી આ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. ફિલ્મનાં પ્રમોશન દરમ્યાન તેણે ઈન્ટરવ્યૂમાં ફિલ્મ સિવાય પોતાની પોતાની પર્સનલ લાઈફને લઈને પણ વાતો કરી હતી. તેણે જણાવ્યુ હતું કે, લગ્ન બાદ તેનું જીવન ઘણું પીડાદાયક રહ્યું હતું. તેણીને તેના સાસરીપક્ષનાં લોકોએ ઘણી પ્રતાડિત કરી હતી અને આખરે કરિશ્માએ પતિ સંજય કપૂરથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂરની છેલ્લે 2012માં આવેલી ફિલ્મ ડેન્ઝરસ ઈશ્કમાં દેખાઈ હતી. તેની આ કમબેક મૂવી હતી, જે બહુ જ ખરાબ રીતે ફ્લોપ રહી હતી.

એક સમાચારપત્રને આપેલાં ઈન્ટરવ્યૂમાં કરિશ્માએ પોતાના જીવનનું રહસ્ય ખોલ્યુ હતું, જેને સાંભળીને ચોંકી જવાય, કરિશ્માએ જણાવ્યુ, જ્યારે તે પોતાના હનીમૂન પર હતી, ત્યારે સંજયે તેને પોતાના દોસ્તોની સાથે મારી કિંમત લગાવી હતી. તેણે મને તેના મિત્રોની સાથે એક રાત વિતાવવા માટે મજબૂર કરી હતી. જ્યારે હું તેના માટે તૈયાર ન થઈ તો સંજયે મારી સાથે માર-પીટ કરવાનું શરૂ કર્યુ હતું.

કરિશ્મા અચાનક જ ફિલ્મોથી દૂર હટીને દિલ્હીનાં બિઝનેસમેન સંજયકપૂરની સાથે 2003માં લગ્નનાં બંધનમાં બંધાઈ ગઈ હતી. તે સમયે કરિશ્મા પોતાની લાઈફને લઈને એકદમ નિશ્ચિત હતી અને આગળ વધી રહી હતી પરંતુ લગ્નનાં લગભગ 5-6 વર્ષો બાદ જ લાઈફમાં દૂરી આવવા લાગી હતી. 2016માં કરિશ્માએ પતિ સંજય કપૂરથી છૂટાછેડા લીધા હતા અને તે અલગ થઈ ગઈ હતી.

જોકે, કરિશ્મા કપૂરે પતિ સંજય કપૂરની સાથે લવ મેરેજ કર્યા હતા, પરંતુ તે સફળ રહ્યા ન હતા. હનીમૂન પર જ કરિશ્મા અને સંજયની વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. હનીમૂન પર સંજયે પોતાની પત્નીનો સોદો પોતાના મિત્રોની સાથે કરી નાંખ્યો હતો અને કરિશ્માને દોસ્તની સાથે સૂવા માટે કહ્યું હતું.

સાસરે કરિશ્માના સાસુનું વર્તન તેની સાથે સારું ન હતુ. તે વાત-વાતમાં કરિશ્માની ઉપર હાથ ઉપાડતી હતી. એટલું જ નહી સંજય તેના ભાઈને કરિશ્મા ઉપર નજર રાખવા માટે કહેતા હતા. કરિશ્માએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યુકે, સંજય નાની-નાની વાતોને લઈને ઉગ્ર થઈ જતા હતા. અને મારપીટ કરવા લાગતા હતા. આખરે તેણે 2012નાં પોતાના લગ્ન ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો. અને પોતના બંને બાળકોને લઈને માતા બબિતા સાથે મુંબઈમાં રહેવા માટે આવી ગઈ હતી. 2016માં બંનેના છૂટાછેડા ફાઈનલ થઈ ગયા હતા.

અહેવાલો મુજબ, કરિશ્મા અને સંજયનાં છૂટાછેડા સહમતિથી થયા છે. સંજયે બાળકો માટે 10 કરોડ રૂપિયાનું એક ટ્રસ્ટ કર્યુ છે. અને કરિશ્મા કપૂરને રહેવા માટે એક બંગ્લો આપ્યો છે. સંજય પોતાના બાળકોનાં ભણતર માટે ખર્ચો પણ ઉપાડે છે.

90ના દાયકામાં કરિશ્માએ પોતાના કરિઅરની શરીઆત ‘પ્રેમ કેદી’થી કરી હતી. જે તે સમયે બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ત્યારબાદ કરિશ્માએ જીત, જાનવર, હીરો નંબર 1, જુડવા, દિલ તો પાગલ હે, બીવી નંબર 1, રાજા હિન્દુસ્તાની, કુલી નંબર 1, રાજા બાબૂ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ હતુ.