મુકેશ અંબાણીએ માત્ર 500 કરોડ જ દાનમાં નથી આપ્યા પણ કર્યું છે એવું કામ કે તમે પણ બોલી ઉઠશો…

મુંબઈઃ કોરોના વાઈરસની સામે લડવા માટે મુકેશ અંબાણીએ મદદનો હાથ લંબાવ્યો છે. તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પીએમ કેર્સ ફંડમાં 500 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ નિવેદનમાં કહ્યુ છેકે, પાંચ-પાંચ કરોડ રૂપિયા મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં આપશે. મુકેશ અંબાણી ભારતનાં સૌથી પૈસાદાર બિઝનેસમેન છે, તેમની પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો 42 ટકા હિસ્સો છે.

રિલાયન્સ ફાઉન્ડેશને કોરોનાવાઈરસથી પીડીત દર્દીઓ માટે 100 બેડની હોસ્પિટલ માત્ર બે સપ્તાહમાં જ તૈયાર કરી હતી. આ ઉપરાંત રિલાયન્સે કહ્યુ છે કે, તે પાંચ લાખ લોકોને 10 દિવસો સુધી ખાવાનું પ્રોવાઈડ કરશે. એટલે કે 50 લાખ લોકો માટે ખાવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ક્ષમતાને ભવિષ્યમાં વધારવામાં આવશે.

 


બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીની પાસે 39 બિલિયન ડોલર (લગભગ 3 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ છે. આ આંકડો અમેરિકાની ઈકોનોમીનો 0.191 ટકા છે. સરળ શબ્દોમાં કહીએ તો મુકેશ અંબાણી પોતાની મિલકતથી લગભગ 77 કરોડ ગ્રામ સોનું ખરીદી શકે છે.

 


મુકેશ અંબાણીની મિલકતનો મુખ્ય સ્ત્રોત તેમની કંપની છે. મુકેશ અંબાણી દુનિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી (જામનગર, ગુજરાત)નાં માલિક છે. આ ઉપરાંત મુકેશ અંબાણી ભારતની સૌથી મોટી ટેલિકોમ નેટવર્ક કંપની જીયોનાં પણ માલિક છે. મુકેશ અંબાણી દુનિયાનાં સૌથી મોંઘા ઘર “એન્ટીલિયા”નાં માલિક છે. બિઝનેસ ઈનસાઈડરનાં રિપોર્ટ મુજબ, 27 માળનાં આ ઘરની કિંમત 10,000 કરોડ રૂપિયા છે.


ઉલ્લેખનીય છે કે, કોરોનાવાઈરસ મહામારીના કારણે શેરબજારમાં ઘટાડો આવવાને કારણે રિલાયન્સનાં શેરમાં મોટો ઘટાડો આવ્યો હતો. જેને કારણે મુકેશ અંબાણીને ઘણું નુકસાન થયુ હતુ. આ માર્કેટ ક્રેશમાં અંબાણીની મિલકતમાં 42 ટકાની મિલકત ઘટી ગઈ છે. પરંતુ થોડા દિવસોથી માર્કેટમાં રિકવરી આવ્યા બાદ રિલાયન્સનાં શેરની કિંમતમાં થોડી રિકવરી જોવા મળી છે.

આ બધા ઉપરાંત રિલાયન્સ પર લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન પણ છે. જેથી કંપની 2021 સુધી શૂન્ય પર લાવવા માંગે છે. તેના માટે રિલાયન્સ પોતાની કંપનીઓની અમુક હિસ્સેદારી વેચવાની તૈયારીમાં છે. રિલાયન્સને દેવા મુક્ત બનાવવા માટે ત્રણ મોટી ડીલ પર વાત ચાલી રહી છે. જેમાં 1-1 લાખ કરોડ રૂપિયાની પહેલી ડીલ રિલાયન્સ અને સાઉદી અરામકોની વચ્ચે છે.

બીજી ડીલ બીપી પીએલસી (બ્રિટિશ પેટ્રોલિયમ)ની સાથે 7000 કરોડ રૂપિયાની છે અને ત્રીજી ડીલ રિલાયન્સ જીયોનાં ટાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેંટ ટ્રસ્ટમાં હિસ્સેદાકરી વેચવાની છે.

હાલમાં જ અમુક મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કંપની જીયોની 10 ટકા હિસ્સેદારી ફેસબુકને વેચી શકે છે. પરંતુ કંપનીએ આ રિપોર્ટ ઉપર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.


ઉલ્લેખનીય છે કે, RILએ પાછલાં પાંચ વર્ષોમાં 5.4 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. જેમાં ફક્ત Jioનો બિઝનેસ બનાવવા માટે 3.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. બાકીનાં પૈસા પેટ્રોકેમિકલ અને રિલાયન્સ રિટેલનાં નેટવર્કનાં વિસ્તાર માટે ખર્ચ કરવામાં આવ્યા છે.