સાત જનમ સુધી સાથ આપવાનું આપ્યું હતું વચન, પણ એક જનમ પણ ના નિભાવી શક્યા સાથ!

બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડે હાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ તેમણે સૈમ  બોમ્બે સાથે લગ્ન કર્યાં. જો કે હાલ તે પતિ પર મારપીટનો આરોપ લગાવી રહી છે. તેમણે સૈમ વિરૂદ્ધ FIR નોંધાવી છે. બંનેનો સંબંધ ખતમ થવાની આરે આવી ગયો છે.  જો કે આ પહેલી વખત નથી જ્યારે બોલિવૂડ સેલેબ્સના મેરેજમાં આવો વિવાદ જોવા મળ્યો હોય..  બોલિવૂડમાં એવા અનેક નિષ્ફળ લગ્નના ઉદાહરણ છે.

સારા ખાન અને અલી મર્ચન્ટ
સારા અને અલીના ફિલ્મી લગ્ન હતા. બંનેએ બિગ બોસ-4 પર લગ્ન કર્યો હતા. 2010માં નિકાહ બાદ 2011માં સારા અને અલી અલગ થઇ ગયા. તેમને ડિવોર્સ પણ ફાઇલ કરી દીધા હતા. તે સમયે સારાએ તેમના લગ્નને લઇને અનેક વિવાદિત નિવેદન પણ આપ્યાહતા. સોશિયલ મીડિયા પર તો તેમની લગ્નને એક પબ્લિસિટી સ્ટંટ જ માનવામાં આવ્યો હતો.  જો કે સારાનું કહવું હતું કે., તેમણે સાચો પ્રેમ કર્યો હતો.

મનીષા કોઇરાલા અને સમ્રાટ દહાલ
વર્ષ 2010માં મનીષા કોઇરાલાએ સમ્રાટ દહાલ સાથે લગ્ન કર્યાં હતાં બંનેના લગ્ન નેપાળમાં થયા હતા. જો કે લગ્નનના થોડા સમય બાદ જ એવા સમાચાર મળી રહ્યાં હતા કે, બંને વચ્ચે ખૂબ જ ઝઘડા થઇ રહ્યાં છે. એવી પણ વાત સામે આવી હતી કે, મનીષાએ  તેમના મિત્રને કહ્યું હતું કે, તે સમ્રાટને છોડવા માંગે છે. ઘણા વિવાદ બાદ મનીષા અને સમ્રાટ અલગ થઇ ગયા હતા. બંનેના લગ્ન માત્ર 2 વર્ષ જ ચાલ્યાં હતા.

કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમ
ટીવીની દુનિયામાં રાજ કરનાર કરણસિંહ ગ્રોવરે બે લગ્ન કર્યાં છે. હાલ બિપાશા સાથે એક સારી જિંદગી જીવી રહેલા કરણે એક જમાનામાં શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યાં હતા. જો કે બંનેના સંબંધ માત્ર દસ મહિનામાં જ ખરાબ થઇ ગયા અને ત્યારબાદ તે અલગ થઇ ગયા. એવી અટકળ લગાવવામાં આવી રહી હતી કે, શ્રદ્ધા કરણના અફેરના કારણે પરેશાન હતી. આ કારણે જ તે તેમનાથી અલગ થઇ ગઇ.

કિશોરી કુમાર અને યોગિતા બાલી
સિંગર અને એક્ટર કિશોર કુમારની લવ સ્ટોરી પણ આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. કિશોર કુમારે કુલ ત્રણ લગ્ન કર્યાં હતા. તેમની ત્રીજી પત્નીનું નામ યોગિતા બાલી હતું. જો કે યોગિતા સાથે  તેમના લગ્ન માત્ર 2 વર્ષ જ ચાલ્યા. એ  સમયે યોગિતા મિથુન ચક્રવર્તીને ચાહવા લાગી હતી અને તેની સાથે લગ્ન કરી લીઘા.

પુલક્તિ સમ્રાટ અને શ્વેતા રોહિરા
પુલક્તિ સમ્રાટે વર્ષ 2014માં તેમની ગર્લફ્રેન્ડ શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યાં હતા. જે સંબંધ લગ્ન પહેલા ખૂબ જ ખૂબસૂરત હતો તે લગ્ન બાદ એકદમ બદલાઇ ગયો. એવું પણ કહેવાય છે કે, લગ્ન બાદ પુલક્તિની  એક્ટ્રેસ યામી ગૌતમીની સાથે નિકટતા વધી ગઇ હતી.  આ સમયે  શ્વેતા રોહિરાને મિસકેરેજ થઇ ગયું હતું. તે સમયે પણ પુલક્તિ તેમની પાસે ન હતો. આ અંતરના કારણે બંને 11 મહિનામાં જ જુદા થઇ ગયા.