નિર્દોષ હોવા છતાંય પતિ-પત્નીએ 5 વર્ષ રહ્યાં જેલમાં, ઘર પહોંચ્યા તો ઉજ્જડ થઈ ગયો સંસાર

નિર્દોષ હોવા છતાં પણ પતિ-પત્નીને પાંચ વર્ષની અને ચાર મહિનાની જેલની સજા ભોગવવી પડી હતી. જેલમાંથી છૂટ્યા બાદ ઘરે પહોંચેલા દંપતીની દુનિયા બરબાદ થઈ ગઈ હતી. વાસ્તવમાં, તેમના બે બાળકો ગુમ થયા છે. જેમને તેઓ હવે શોધી રહ્યા છે તો, ઉચ્ચ જિલ્લા ન્યાયાધીશે એસએસપીને પત્ર લખીને વિવેકચક સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. નિર્દોષોને પાંચ વર્ષ જેલમાં રાખવામાં બદલ વળતર આપવા માટે પણ નોટિસ પાઠવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અલીગઢ ક્રાઈમ બ્રાંચના પ્રભારી બ્રહ્મસિંઘ હતા, જેઓ હવે નિવૃત્ત થઈ ગયા છે. ચાલો જાણીએ આખી વાર્તા.

વાત 1 સપ્ટેમ્બર, 2015ની છે. જ્યારે બાહ વિસ્તારના જારારમાં રહેતા યોગેન્દ્રસિંહનો પાંચ વર્ષનો પુત્ર રણજીતસિંહ ઉર્ફે ચુન્ના તેની માતા શ્વેતાને અંબેરીશ ગુપ્તાની દુકાને જવાનું કહીને ગયો હતો. જેનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યો હતો.

પિતાનો આરોપ છે કે પુત્રની હત્યા મહોલ્લા મસ્જિદના રહેવાસી નરેન્દ્રસિંહ અને તેની પત્ની નઝમાએ કરી હતી. તે પછી, પોલીસના જણાવ્યા અનુસાર, તેઓએ ઘણા સમય પહેલા ઝઘડો થયો હતો. બંનેને ધમકી આપવામાં આવી હતી. ઘટનાના એક દિવસ પહેલા પુત્રને નઝમાના ખોળામાં બેઠેલો જોયો હતો. તે નમકીન ખાઈ રહ્યો હતો. બંનેએ અંગત અદાવતમાં ચાકુથી તેની હત્યા કરી નાંખી હતી. આ કેસમાં પોલીસે બંનેને જેલમાં મોકલી દીધા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નઝમા અને નરેન્દ્ર પહેલા દિવસથી જ પોતાને નિર્દોષ ગણાવી રહ્યા હતા. જેને સાબિત કરવામાં 5 વર્ષ 4 મહિનાનો સમય લાગ્યો. જેલમાંથી છૂટેલા દંપતીનું કહેવું છે કે યોગેન્દ્ર સાથે તેમનો ક્યારેય વિવાદ થયો ન હતો. તેમણે અમને લોકોને ખોટી રીતે ફસાવી દીધા હતા. પરંતુ, ન્યાયપાલિકાએ નિર્દોષ સાબિત કરી દીધા.

નઝમા અને તેના પતિ નરેન્દ્રને 5 વર્ષ પહેલા જેલમાં મોકલવામાં આવ્યા હતા, તે સમયે નજમાને ત્રણ વર્ષની પુત્રી અને 5 વર્ષનો પુત્ર હતો, જે હવે 5 વર્ષ પછી ક્યાં છે, તેઓને ખબર નથી. બંનેનું કહેવું છે કે આ સમગ્ર મામલાની તપાસ થવી જોઇએ અને પોલીસ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ,પરંતુ સાચા હત્યારાઓ પણ બહાર આવવા જોઈએ તો જ તે બંને તેમના ગામ પાછા જઇ શકશે.

જણાવી દઈએ કે, નરેન્દ્ર ગામમાં જ શાકભાજીની દુકાન ચલાવતો હતો. તેજ ધર્મશાળામાં એક શાળા હતી. તે જ શાળામાં 5માં ધોરણ સુધીના બાળકોને ભણાવતા હતા. પરંતુ હવે તમામ કામ છૂટી ગયા છે. તેની ઉપર જેલમાંથી છૂટ્યા પછી, રોજી-રોટીની પણ સમસ્યા છે. નરેન્દ્ર અને નઝમા હવે તેમનાં હ્રદયનાં ટુકડાઓને શોધી રહ્યા છે.