બાળકને જન્મ આપ્યાનાં ત્રણ જ દિવસમાં માતાનું મોત, દ્રશ્ય જોનારની આંખોમાં આવી ગયા આસું

જેણે પણ જોયું કે સાંભળ્યું તેમની આંખો ભરાઈ ગઈ હતી. બાળકની આંખો પણ ખુલી ન હતી અને તેની માતાનું દૂધ પણ પીધુ નહોતું, તેણે આ દુનિયામાં આવતાની સાથે જ આટલી મોટી જવાબદારી નિભાવવી પડી હતી. ખંડવામાં તમામ ધાર્મિક વિધિઓ વચ્ચે માતાને ત્રણ દિવસના દિકરાનો હાથ અડાડીને માતાને મુખાગ્નિ આપવામાં આવી હતી.

રાજા હરિશચંદ્ર મુક્તિધામે મંગળવારે ખૂબ જ હૃદયસ્પર્શી દ્રશ્ય જોયું. પ્રસૂતાનાં મોત બાદ પિતાએ ત્રણ દિવસના બાળક સાથે ચિતાને મુખાગ્નિ આપી. ત્રણ દિવસનાં દિકરાએ માતાને મુખાગ્નિ આપતા જોઈને, દરેકની નજરમાંથી આંસુ નીકળી ગયા. પ્રસૂતાનું ઈંદોરમાં સોમવારે સાંજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ખંડવા લેડી બટલરમાં દાખલ થતાં પ્રસૂતિની હાલત કથળી હતી. પરિવારે આરોપ લગાવ્યો કે લેડી બટલરે સારવાર દરમિયાન બેદરકારી દાખવી હતી અને પરિસ્થિતિ બગડવાની શરૂઆત થતાં તુરંત જ તેમને ઇન્દોર રિફર કરવામાં આવ્યા હતા.

અર્થીની પાસે નવજાતને લઈને જતા પિતા
મંગળવારે સવારે મૃતક મમતા ઉર્ફે ખુશીના અંતિમ સંસ્કાર રાજા હરિશચંદ્ર મુક્તિ ધામ ખાતે કરવામાં આવ્યા હતા. અંતિમ યાત્રા રામનગરથી નીકળી હતી. આર્થીની આગળ પિતા રાહુલ ઉર્ફે બંટી તેના ત્રણ દિવસના નવજાતને લઈને ચાલ્યા હતા. મુક્તિધામમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્ણ કર્યા પછી રાહુલે ત્રણ દિવસ નવજાતનો હાથ લગાવીને પત્નીને અગ્નિદાહ આપ્યો હતો. આ હૃદયસ્પર્શી દ્રશ્ય જોઇને દરેકની નજરમાંથી આંસુઓ નીકળી ગયા હતા.

પરિવારનાં સભ્યોએ લગાવ્યા આરોપ
ચિકિત્સા વિભાગમાં જ લેખાપાલ આરસી પંચોરેની વહુ મમતા ઉર્ફે ખુશી પતિ રાહુલ પંચોરે (બંટી)ને પ્રસવપીડાને કારણે લેડી બટલર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરિવારે આરોપ લગાવ્યો હતો કે લેડી બટલરના પ્રભારી ડો. લક્ષ્મી ડુડવેએ ઓપરેશન કરવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ અન્ય ડોકટરો દ્વારા 15 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનમાં, પ્રસૂતાએ એક બાળકને જન્મ આપ્યો. આ દરમિયાન માતાની સ્થિતિ બગડવાની શરૂઆત થઈ અને તે બેહોશ થઈ ગઈ હતી. બીજા દિવસે, 16 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યે, જ્યારે તેને હોશ આવ્યો, ત્યારે હાજર ડોકટરોએ તેમને થોડું પ્રવાહી આપવાનું કહ્યું. લગભગ અડધા કલાક પછી પ્રસૂતાની સ્થિતિ બગડવાની શરૂઆત થઈ.

ડૉક્ટરોએ વાત ન કરી
પ્રસીતાનાં મામા સસરા સુનિલ આર્યાએ જણાવ્યું કે, આ વાતની જાણકારી ત્યાં હાજર ડોક્ટરોને પ્રસૂતાની સાથે હાજર તેની સાસુએ આપી હતી. ત્યાંના તબીબે માતાની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. કેસની માહિતી મળતાં અન્ય સબંધીઓ પણ લેડી બટલર હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સુનિલ આર્યનો આરોપ હતો કે ત્યાં હાજર રહેલા ડો.મોહિત ગર્ગ યોગ્ય રીતે વાત કરવા તૈયાર નહોતા. વેન્ટિલેટર પર રાખવા પડશે તેવું જ કહી રહ્યા હતા.

પરિવારે આજીજી કરી ત્યારે પણ ડો.ગર્ગ વાત કરવા તૈયાર નહોતા. આ દરમિયાન, હાલત બગડતી જોઇને, રાતના દસ વાગ્યે, પરિવાર ત્યાંથી રેફર કરાવીને તેમને ઈન્દોર લઈ ગયા હતા. સુનિલ આર્યએ જણાવ્યું કે પુત્રવધૂ આ સમયગાળા દરમિયાન તેનું બીપી લૉ થઈ ચૂક્યુ હતુ. ઇંદોરમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ફેફસાંમાં પાણી જતુ રહ્યુ હતુ
પ્રસૂતિના ફેફસાંમાં પાણી જતુ રહ્યુ હતું. લેડી બટલર અને જિલ્લા હોસ્પિટલમાં વેન્ટિલેટર નહોતા. અમે આ માહિતી બાળકના પરિવારને આપી હતી. રેફરની તમામ કાર્યવાહી કર્યા પછી તરત જ ઈન્દોર સારવાર માટે મોકલવામાં આવી હતી. ત્યાં મૃત્યુનું કારણ શું છે, તેની જાણકારી મને નથી.