લગ્નના અઢી મહિનામાં જ પતિ-પત્નીએ કરી આત્મહત્યા, કારણ જાણી પોલીસની આંખમાં આવ્યું પાણી

આગ્રાઃ આગ્રાના શાહગંજના રાસ્વરૂપ કોલોનીમાં લગ્નના અઢી મહિના બાદ નવદંપતીએ આપઘાત કરી લીધો. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ દોડી આવી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આપઘાત કરનાર પતિ-પત્નીના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી. આ સુસાઇડ નોટમાં એવો ખુલાસો કર્યો હતો, જે જાણી પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા. આત્મહત્યાનો કેસ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં મૃતક મહિલાના સાસુ-સસરાની ધરપકડ પણ કરવામાં આવી છે.

રામસ્વરૂપ કોલોનીમાં રહેતા ઓમ પ્રકાશ વર્માના 22 વર્ષીય દિકરા ગોપાલના લગ્ન 18 જાન્યુઆરીએ ફિરોઝાબાદના શિકોહાલબાદમાં રહેતી 21 વર્ષીય પ્રિયા સાથે થયા હતા. લગ્નના માત્ર અઢી મહિના બાદ ગોપાલ અને પ્રિયાએ મંગળવારે 31 માર્ચે ઘરના રૂમમાં ફાંસી લગાવી લીધી. આ દ્રશ્ય જોઇ બધા હતપ્રત થઇ ગયા બાદ. બાદમાં પોલીસને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી જેમાં બંનેના આપઘાત પાછળ મૃતક યુવકના માતા-પિતા જવાબદાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારા ઘરવાળા પત્ની પ્રિયાને દહેજ માટે ખુબ જ પરેશાન કરી રહ્યાં છે. આથી હું મારી પત્ની આપઘાત કરી રહ્યાં છીએ. તો પ્રિયાએ લખ્યું કે પિતા યોગેન્દ્રએ લગ્નમાં ખુબ જ ખર્ચ કર્યો હતો, તેમ છતા સાસુ-સસરા દહેજ માટે પરેશાન કરી રહ્યાં હતા.

સુસાઇડ નોટ તથા પ્રથામિક તપાસના આધારે પોલીસ પ્રભારીએ જણાવ્યું હતું કે પ્રિયાના પિતા યોગેન્દ્રની ફરિયાદના આધારે દહેજ અને હત્યાની કલમ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી સાસુ-સસરાને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાંથી બંનેને જેલ મોકલી દેવામાં આવ્યા છે.