પત્ની એકલી ગોવા જઈને મોજ કરવા ઈચ્છતી હતી, પતિએ કર્યું એવું કે….

રાંચીઃ દેશમાં દરરોજ આપઘાતના કેસ સામે આવતા રહે છે. સ્થિતિ એવી સર્જાઇ છે કે નાની નાની વાતમાં વ્યક્તિ દુઃખી થઇને આપઘાતનું પગલું ભરી રહ્યો છે. આવી જ એક દુઃખદ ઘટના ઝારખંડમાં સામે આવી છે. અહીં એક જુનિયર એન્જિનિયરે આપઘાત કરી લીધો. મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે કેટલીક રોચક માહિતી સામે આવી છે.

આ ઘટના ભવનાથપુર પ્રખંડમાં બુધવારે (18 માર્ચ)એ બની હતી, જ્યારે મનરેગામાં રંજીત કુમારનો ભાડાના મકાનમાં મૃતદેહ મળ્યો હતો. મૃતકના પિતા જગદીશ કુમારે કહ્યું કે મારા દીકરાએ પુત્રવધુના ત્રાસના કારણે આત્મહત્યા કરી છે. પોલીસે કેસ દાખલ કરી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

રંજીત કુમાર હુસૈનાબાદના મહમદાબાદનો રહેવાસી હતો. તે છેલ્લા ત્રણ વર્ષથી એક ભાડાના મકાનમાં પોતાની પત્ની સાથે રહેતો હતો. રંજીતના પડોસી શિક્ષક સંતોષ કુમાર મહેતાએ જણાવ્યું કે રંજીત ખુબ જ સારો માણસ હતો. તે કારણ વગર કોઇ સાથે વાત કરતો નહોતો.

શિક્ષકે વધુમાં જણાવ્યું કે થોડા દિવસ પહેલા તે કેમ્પસમાં ફરતો દેખાયો. ત્યારબાદ હું મારા ઓફિસના કામથી બહાર જતો રહ્યો. જ્યારે મંગળવારે પરત ફર્યો તો તેના રૂમમાં તાળું લટકી રહ્યું હતું અને ગેટ પર ન્યૂઝ પેપર પડ્યું હતું. ત્યારબાદ મેં ફોન પણ કર્યો પરંતુ કોઇ જવાબ ના આવ્યો.

બાદમાં મેં રંજીતના મકાન માલિક નાગેન્દ્ર સિંહને આ વાત અંગે જાણકારી આપી. તેમણે રૂમનો દરવાજો ખોલ્યો તો તે પોતાના બેડરૂમમાં પડ્યો હતો. બાદમાં રંજીતના પિતાને આ વાતની જાણ કરવામાં આવી.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં રંજીતના પિતા જગદીશે કહ્યું કે મારો દીકરો પુત્રવધૂના કારણે મર્યો છે. તેણે મારા દીકરાનું જીવન નર્ક બનાવી દીધું હતું. પત્ની વિશે મારા દીકરાએ અમને અનેક વખત જાણકારી આપી હતી. રંજીતના લગ્ન સોનાલી સાથે થયા હતા. લગ્નના થોડા જ દિવસ બાદ તે દીકરાને પરેશાન કરવા લાગી હતી. એટલું જ નહીં તે ઘર છોડવાની ધમકી પણ આપતી હતી. સોનાલી ગોવામાં જઈને ફેશન ડિઝાઈનનો કોર્સ કરવા ઈચ્છતી હતી પરંતુ રંજીતે ના પાડી હતી અને તેથી જ તે ધમકીઓ આપતી હતી.

વાત એવી છે કે રંજીતની સાસુ પોલીસમાં છે, જેનો ડર તે રંજીતને દેખાડતી હતી. પરંતુ તેમ છતા રંજીત તેને સાથે રાખવા માગતો હતો. આ બાબતને લઇને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. તે દીકરાને મરવાની ધમકી આપી પૈસા પડાવતી હતી.

થોડા મહિના પહેલા તેઓ બંને અલગ રહેવા લાગ્યા હતા. પરંતુ પંચાયતમાં બંને વચ્ચે સમાધાન થઇ ગયું તો સાથે રહેવા રાજી થઇ ગયા હતા. તેમ છતા પણ સોનાલીએ રંજીતને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. પત્ની દ્વારા હેરાન કરવાને કારણે રંજીત દારૂના નશાના રવાડે ચડ્યો હતો.