આ તારીખે જોવા મળશે ઉલ્કાવર્ષાનો અદભુત નજારો, જાણો કેવી રીતે જોઈ શકશો

2020ને પૂર્ણ થવામાં માત્ર બે જ એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે નવા વર્ષનું સ્વાગત કરવા લોકો થનગની રહ્યાં છે પરંતુ આ વખતે કોરોનાના કારણે ઉજવણી પર બ્રેક લગાવવામાં આવી છે ત્યારે નવા વર્ષ 2021ની શરૂઆતમાં જ ગુજરાતીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. 2021ની જરૂઆતમાં ગુજરાતીઓને ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. 3 અને 4 જાન્યુઆરી 2021ના દિવેસ આપણે ઉલ્કાવર્ષા જોઈ શકીશું અને તેનું ભવ્ય સ્વાગત કરીશું. પરંતુ ગુજરાતમાં 4 જાન્યુઆરીએ આકાશમાં ઉલ્કાવર્ષા રાતે 2:21 વાગેથી 120 મીટર ઝડરથી ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે.

ગુજરાતમાં ખાસ કરીને 3-4 જાન્યુઆરીના આકાશમાં રીતસરનો ઉલ્કાવર્ષાના વરસાદનો નજારો જોવા મળશે. જેમાં કલાકના 15થી 100 જેટલા ઉલ્કાવર્ષા જોવા મળશે અને ઉલ્કાવર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના જેમ આ દ્રશય જોવા મળશે. ક્વોડરેન્ટિડ્સ ઉલ્કાવર્ષા વધારેમાં વધારેમાં વધારે ચાર દિવસ અડધી રાતથી વહેલીવ સવાર સુધી આકાશમાં જોવા મળશે. રૂબરૂ નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાશે.

જયંત પંડ્યાએ આ અંગે જણાવ્યું હતું કે, ઉલ્કાવર્ષા નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમિયાન 10થી 12 વખત અને વધુમાં 5 વખત આકાશમાં જોવા મળતું હોય છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત હોય છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે, જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમિયાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે અને તેમાંથી વિસર્જીત થયેલા પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખતો હોય છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જ્યારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે.

આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના 30 કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળતા હોય છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.