‘ભલું કરજો ભગવાન કે ભારતમાં ફસાયો’, કોરોનાના કેર વચ્ચે આ લોકો પોતાના દેશ જવા નથી તૈયાર

નવી દિલ્હીઃ કોરોના વાયરસના ડર વચ્ચે કેટલાક અમેરિકનો ભારતમાં ફસાઈ જવાને યોગ્ય માની રહ્યા છે. તેનું મુખ્ય કારણ કોરોના દ્વારા અમેરિકામાં મચાવવામાં આવેલી તબાહી છે. ગયા સપ્તાહે ઓસ્ટ્રેલિયાએ પોતાના 444 લોકોને સ્પેશિયલ ફ્લાઈટ મોકલીને ભારતમાંથી એરલિફ્ટ કર્યા હતા. પરંતુ ઘણા એવાં દેશનાં લોકો પણ છે ખાસ કરીને અમેરિકાનાં, જેઓ પાછા પોતાના દેશમાં જવા ઈચ્છતા નથી.

બાકી સરકારોની જેમ, અમેરિકન વહીવટીતંત્ર પણ અન્ય દેશોમાં ફસાયેલા તેમના લોકોને બહાર કાઢી રહ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આવા 50,000 લોકોને પાછા બોલાવવાનો દાવો કર્યો છે. દરમિયાન, યુ.એસ. વહીવટીતંત્રએ પુષ્ટિ આપી હતી કે ઘણા નાગરિકોએ હાલના સમયમાં ભારતમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

અમેરિકાના લગભગ 24000 લોકો હજી ભારતમાં છેઃ અમેરિકાના એક અધિકારીએ ત્યાં મીડિયાને જણાવ્યું કે હાલમાં ભારતમાં લગભગ 24,000 અમેરિકનો છે. લગભગ 800 લોકોને પૂછવામાં આવ્યું કે શું તેઓ ફ્લાઇટ દ્વારા અમેરિકા પાછા આવવા માંગે છે, તો માત્ર 10 લોકોએ જ આવવાની સંમતિ આપી હતી.

અમેરિકામાં અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 5 લાખથી વધુ કોરોના દર્દીઓ મળી આવ્યા છે. એટલું જ નહીં, ત્યાં 22 હજારથી વધુ લોકોનાં મોત પણ થયાં છે. દરમિયાન, ઇંગ્લેન્ડ તેના લોકોને બહાર કાઢી રહ્યું છે.

આ સપ્તાહે તેમની અમૃતસર, નવી દિલ્હી, મુંબઇ, ગોવા, ચેન્નાઈ, હૈદરાબાદ, કોચી, બેંગ્લોર, અમદાવાદ અને કોલકાતા માટે વધુ 12 ચાર્ટર ફ્લાઈટ્સ આવશે. આ પહેલાં 20 હજાર બ્રિટનનાં લોકો પોતાના દેશમાં પરત ગયા હતા.